જો વાળ ખરવાની સમસ્યાને દૂર કરવા માંગતા હોવ તો એકવાર આ ઉપાય કરી લો. વાળની સમસ્યાથી છૂટકારો મળી જશે.
આ 1 ઉપાયથી તરત જ વાળ ખરતા બંધ થઈ જશે
નવા વાળ ઉગાડવામાં પણ કરશે મદદ આ ઘરેલૂ ઉપાય
નેચરલ વસ્તુઓ વાળમાં લગાવવાથી આડઅસર થતી નથી
અત્યારે બધાંને વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એવામાં વાળને ખરતાં રોકવા શું કરવું એ સમજાતું નથી. નુસખાઓ અને ઉપાયો તો ઘણાં બધાં છે પણ એક જ સચોટ નુસખા કે ઉપાય વિશે ખબર પડી જાય તો વાળની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. એવા જ એક જબરદસ્ત ઉપાય વિશે આજે અમે તમને જણાવી રહ્યાં છે જેને કરી લેવાથી એક જ વારમાં તમને રિઝલ્ટ મળશે અને વાળ ખરતાં રોકાઈ જશે.
ઉપરોક્ત તમામ વસ્તુઓને એક બાઉલમાં લઈને બરાબર મિક્સ કરી લો. પછી તેને વાળના મૂળમાં કોટનથી લગાવો અને પછી વાળ બાંધી દો. 30 મિનિટ બાદ હેર વોશ કરી લો.
આ ઉપાયના ફાયદા
આદુમાં ભરપૂર મિનરલ્સ હોય છે. જે હેર ફોલિકલ્સને એક્ટિવ કરે છે. સાથે કાળા મરી સ્કેલ્પમાં લોહીનું પરિભ્રમણ વધારે છે. આ ઉપાય કરવાથી નવા વાળ પણ ઝડપથી ઉગવા લાગે છે. વાળ હેલ્ધી બને છે અને એક જ વારના ઉપાય બાદથી જ વાળ ખરતા બંધ થઈ જાય છે. ઓલિવ ઓઈલમાં વિટામિન ઈ હોય છે. જે વાળને નરિશ કરે છે. એલોવેરા જેલ હેરને સ્મૂધ અને શાઈની બનાવે છે. આ ઉપાય સપ્તાહમાં 2-3 વાર કરી શકો છો.