વાળને હેલ્ધી રાખવા માટે લોકો ઘણી પ્રકારની વસ્તુઓ લગાવતા હોય છે. પણ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ જાણકારી વિના અથવા પ્રોપર રીતે વાળમાં લગાવવામાં ન આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. કેટલીક વસ્તુઓ વાળમાં લગાવવાથી વાળની સ્કિનનું પીએચ લેવલ બેલેન્સમાં રહેતું નથી અને તેની ખરાબ અસર વાળ પર પડે છે. જો વારંવાર આ વસ્તુઓને વાળમાં લગાવવાથી ટાલ પણ પડી શકે છે. ચાલો જાણીએ.
વાળમાં ભૂલથી પણ ન લગાવતા આ વસ્તુઓ
વાળને ખરાબ કરી દે છે આ વસ્તુઓ
વાળ પુષ્કળ ખરવા લાગશે
કઈ વસ્તુઓ વાળમાં ન લગાવવી
બેકિંગ સોડા
બેકિંગ સોડા આમ બહુ જ ફાયદાકારક હોય છે પણ વાળમાં તેને લગાવતા પહેલાં તેને ડાઈલ્યૂટ કરવું જરૂરી છે નહીં તો વાળ નિષ્તેજ થઈ જશે અને ટાલ પણ પડી શકે છે. સોડા સ્ટ્રોન્ગ હોય છે. ડેન્ડ્રફની સમસ્યામાં ઘણાં લોકો તેનો ઉપયોગ કરો છો તો આ વાતનું ધ્યાન રાખજો.
બિયર
બિયરને વાળમાં સારી માનવામાં આવે છે. પણ જો તેને ડાઈલ્યૂટ કર્યા વિના વાળમાં લગાવવામાં આવે કે તેનાથી વાળ ધોવામાં આવે તો વાળ વધુ ખરે છે અને ટાલ પણ પડી શકે છે.
બટાકાનો રસ
બટાકાના રસમાં બ્લીચિંગ એજન્ટ હોય છે. જેથી તેને વાળમાં લગાવવાથી વાળ સફેદ થવાની અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. કોઈપણ વસ્તુમાં મિક્સ કરીને પણ બટારાનો રસ લગાવવો નહીં.
વિનેગર
ઘણાં લોકો આડઅસર જાણ્યા વિના જ ક્યાંયથી ફાયદા સાંભળે અને વસ્તુઓ વાળમાં લગાવવાનું શરૂ કરી દે છે. જેનાથી વાળને સખત નુકસાન થાય છે. એવી જ એક વસ્તુ છે વિનેગર. ડાઈલ્યૂટ કર્યા વિના વાળમાં વિનેગર લગાવવાથી ડ્રાયનેસ વધે છે અને વાળને નુકસાન થાય છે. વાળ ખરવા લાગે છે.