લશ્કરના આતંકી હાફિઝ સઇદે એક વખત ફરીથી કાશ્મીરી આતંકીઓ સાથેના સંબંધના પુરાવા રજૂ કર્યા છે. સાથે જ એને કાશ્મીરી આતંકીઓ સહિત સુરક્ષાકર્મીઓના હાથેથી માર્યા ગયેલા મન્નાન વાનીને જેહાદી જણાવતા વખાણમાં કહ્યું કે એ એક ભણેલો ગણેલો પીએચડી સ્કોલર હતો.
હાફિઝ સઇદનું કહેવું છે કે અબ્દુલ મન્ના વાની નામનો જે અજીબ વ્યક્તિ શહીદ થઇ ગયો. જે AMUથી પીએચડી કરીને ડોક્ટર બનીને નિકળ્યો હતો...એને કાશ્મીરમાં કુરબાની આપીને દુનિયાને સંદેશ આપ્યો.
સઇદે કહ્યું કે એ લોકો કહે છે કે જેહાદ કરનારા એ લોકો હોય છે જેમને ખાવાનું કંઇ મળતું નથી. આંતકી સઇદે આગળ કહ્યું કે અમારા અદીમ ભાઇ મેરાજ નામનો શહીદ થઇ રહ્યો છે. શ્રીનગરનો ડિસ્ટ્રીકિટ કમાન્ડર ખૂબ જ ભણેલો ગણેલો છે. યૂનિવર્સિટીથી ભણેલા ગણેવા આજે એ લોકો મેદાનમાં કુરબાનીઓ આપી રહ્યા છે તો લાખો લોકો આજે કાશ્મીરીઓના જનાજામાં ઊભેલા છે.
લશ્કર આતંકી પ્રમાણએ ઇન્ડિયા અને અમેરિકાને મળીને ઇસ્લામાબાદની હુકૂમતને આ રીતે જકડી લીધો છે. એમને ડોલરની કિંમત વધારીને ડોલરની સમસ્યા ઊભી કરી છે કે તમે તમારા મુસ્લિમ ભાઇઓ માટે વિચારી પણ શકો નહીં.