26\11ના મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરો આજે ક્યાં છે? આ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
26\11ના હુમલાને આજે 14 વર્ષ પૂર્ણ થયા
આ આતંકી હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો શહીદ થયા હતા
મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરો આજે ક્યાં છે?
મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને આજે પણ યાદ કરી તો લોકો આજે પણ ધ્રુજી ઉઠે છે. આજે એ ભયાનક હુમલાને 14 વર્ષ પૂર્ણ થયા છે. 26 નવેમ્બર 2008ના રોજ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈ પહોંચ્યા હતા અને આખા શહેરને નિશાનો બનયો હતો. આ આતંકી હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો શહીદ થયા હતા. સાથે જ ઘણા લોકો ઘાયલ પણ થયા હતા અને કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકસાન થયું હતું. જણાવી દઈએ કે આ હુમલો 26 નવેમ્બરે શરૂ થયો હતો અને 29 નવેમ્બર સુધી ચાલ્યો હતો.
26 નવેમ્બર 2008ના રોજ દરિયાઈ માર્ગે દ્વારા આવેલ આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, ઓબેરોય ટ્રાઇડેન્ટ, તાજમહેલ પેલેસ એન્ડ ટાવર, લિયોપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમાન કોમ્યુનિટી સેન્ટર જેવા ઘણા સ્થળોને તેનો નિશાન બનાવ્યા હતા.10 આતંકવાદીઓ માંથી ફક્ત એક અજમલ કસાબ આતંકવાદી હતો જે જીવતો પકડાયો હતો અને 4 વર્ષ બાદ 21 નવેમ્બર 2012ના રોજ તેને ફાંસી આપવામાં આવી હતી. મુંબઈ પર હુમલો કરનારાઓને તો મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે પણ સવાલ એ છે કે આવા ભયાનક હુમલાઓના કાવતરાખોરોનું શું થયું? 26\11ના મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરો આજે ક્યાં છે? આ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
હાફિઝ સઈદ
કહેવાય છે કે હાફિઝ સઈદ 26/11ના હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. હાફિઝ સઈદ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને જમાત-ઉદ-દાવાનો મુખ્યા છે. જણાવી દઈએ કે એપ્રિલ 2022માં સઈદને પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે 31 વર્ષની જેલની સજા ફટકારી હતી અને કોર્ટે તેની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ તેના પર 3,40,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. સઈદની 2019માં ધરપકડ કરવામાં આવી હતી અને આ ધરપકડ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના અમેરિકા પ્રવાસ પહેલા કરવામાં આવી હતી. 70 વર્ષીય હાફિઝ સઈદને ભલે જેલની સજા થઈ હોય પણ હજુ તે પાકિસ્તાનમાં મુક્તપણે ફરતો જોવા મળે છે અને તેની સાથે જ તે લોકોને ઉશ્કેરવા માટે ભાષણો આપતો પણ નજર આવે છે.
સાજિદ મીર
ને 26/11ની દુર્ઘટનાનો 'પ્રોજેક્ટ મેનેજર' કહેવામાં આવતા સાજિદ મીર પર અમેરિકાએ $5 મિલિયનનું ઈનામ રાખ્યું હતું. જણાવી દઈએ કે જૂન 2022 માં પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે તેને આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં 15 વર્ષની જેલની સજા ફટકારી હતી. એફબીઆઈ અનુસાર સાજિદ મીર એ મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર તરીકે કામ કર્યું હતું.
ડેવિડ કોલમેન હેડલી
અમેરિકન-પાકિસ્તાની નાગરિક ડેવિડ કોલમેન હેડલીનું નામ લગભગ દરેક લોકોને યાદ હશે. હેડલીની 3 ઓક્ટોબર 2009ના રોજ યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી અને આ જ કાવતરાખોરે હુમલાથી જોડાયેલ ઘણા રહસ્યોને ઉકેલવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે 10 ડિસેમ્બર 2015ના રોજ હેડલી સરકારી ગવાહ બન્યો હતો અને 15 ફેબ્રુઆરી 2016ના રોજ યુએસના એક વિડિયો નિવેદનમાં હેડલીએ 26/11ની યોજના અને એ હુમલામાં તેની ભૂમિકા વિશે અનેક ખુલાસાઓ કર્યા હતા. આ માટે તેને 35 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે એક વધુ ખુલાસો એમ પણ કર્યો હતો કે તેને દાઉદ ગિલાની નામ બદલીને ડેવિડ હેડલી કર્યું હતું અને હુમલા પહેલા મુંબઈની 5 ટ્રીપ કરી તેવા સ્થળોનું શૂટિંગ કર્યું હતું જ્યાં આતંકવાદીઓ હુમલો કરી શકે.
ઝકી-ઉર-રહેમાન લખવી
ઝકી-ઉર-રહેમાન લખવી લશ્કર જૂથનો ઓપરેશન કમાન્ડર રહી ચૂક્યો છે અનેતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલ આતંકવાદી છે. જણાવી દઈએ કે લખવીની જાન્યુઆરી 2021માં પાકિસ્તાનમાં આતંકવાદને નાણાં પૂરા પાડવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.