શિવસેનાના સાંસદ સંજય રાઉતે સોમવારે દાવો કર્યો હતો કે તેમણે પાર્ટીના કેટલાક નેતાઓને પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે સચિન વાઝે મહારાષ્ટ્ર સરકાર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
શિવસેના સાંસદનો મોટો ખુલાસો
સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
સચિન વાઝેને લઈને આપ્યું મોટું નિવેદન
મહત્વનું છે કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી અજ્ઞાત કાર મૂકવાના અને મનસુખ હિરેનની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા મુંબઇ પોલીસના ASI સચિન વાઝેની NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
શિવસેના સાંસદ રાઉતે એમ પણ કહ્યું હતું કે સચિન વાઝે પ્રકરણે શિવસેનાની આગેવાનીવાળી મહાવિકાસ આઘાડી સરકારને કેટલાક પાઠ ભણાવ્યા છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર છે. NIA એ એંટીલિયા કેસ અને મનસુખ હિરેન હત્યા કેસમાં વાઝેની ધરપકડ કરી છે. ઘાટકોપર બોમ્બ બ્લાસ્ટના આરોપી ખ્વાજા યુનુસના મોત બાદ વાઝેને 2004 માં પોલીસ સર્વિસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એક વખત શિવસેનામાં જોડાયેલા વાઝેને ગયા વર્ષે ફરીથી નોકરીમાં લેવામાં આવ્યા હતા.
રાઉતે એક ટીવી ચેનલને કહ્યું, "જ્યારે વાઝેને મહારાષ્ટ્ર પોલીસમાં ફરીથી સામેલ કરવાની યોજના હતી, ત્યારે મેં કેટલાક નેતાઓને જાણ કરી હતી કે તે આપણા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે." તેમની વર્તણૂક અને કાર્ય કરવાની રીત સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. રાજ્યસભાના સાંસદે વધુમાં કહ્યું કે, તેઓ તે નેતાઓનાં નામ જાહેર કહી શકતા નથી.
સંજય રાઉતે કર્યો મોટો ખુલાસો
સંજય રાઉતે કહ્યું કે તે દાયકાઓથી પત્રકાર છે અને વાઝે વિશે જાણે છે. તેણે એમ પણ કહ્યું કે માણસ બગડે નહીં, પરંતુ સંજોગો તેને એવો બનાવે છે. સંજય રાઉતે કહ્યું, "વાઝેની પ્રવૃત્તિઓ અને આ આખી ઘટના, વિવાદોએ મહાવિકાસ આઘાડી સરકારને પાઠ ભણાવ્યો છે." એક રીતે, તે સારું છે કે તે બન્યું અને તેણે અમને કેટલાક પાઠ શીખવાડી દીધા. ''
સીએમ ઉદ્ધવ ઠાકરેને વાઝેના બચાવ માટે પૂછેલા પ્રશ્નના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે તેમને વાઝે અને તેમની પ્રવૃત્તિઓ વિશે વધારે જાણકારી નથી. તેમણે કહ્યું, "મુખ્યમંત્રીએ ટેકો આપ્યો, પરંતુ જે પ્રવૃત્તિઓ પ્રકાશમાં આવી છે, તેનાથી અધિકારીના બચાવનું કોઈ કારણ નથી."
વાઝેને ફરીથી સર્વિસમાં કેમ લેવામાં આવ્યા?
સંજય રાઉતે કરેલા આ ખુલાસાથી ફરી એકવાર સવાલ ઉભો થશે કે વાઝેને ફરીથી કોણે સર્વિસમાં લેવાનો નિર્ણય લેવડાવ્યો, ભાજપ વારંવાર આ સવાલ પૂછી રહ્યું છે. તાજેતરમાં જ વિધાનસભાના વિપક્ષી નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ તેમના કાર્યકાળ દરમિયાન પણ વાઝેને સર્વિસમાં પરત લેવાનું કહ્યું હતું, પરંતુ કાનૂની નિષ્ણાતની સલાહ લીધા પછી વાઝેને તેમણે સર્વિસમાં લીધા નહોતા.