રાજસ્થાનના ભરતપુરના પસોપા વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનને લઈને ધરણા વચ્ચે પોતાની જાતને આગના હવાલે કરનારા સંત વિજય દાસનું નવી દિલ્હીમાં મોડી રાતે 3 કલાકે નિધન થઈ ગયું છે. તેઓ સફદરજંગ હોસ્પિટલની બર્ન યૂનિટમાં એડમિટ હતા. સંતને ક્રિટિકલ કંડીશનમાં બે દિવસ પહેલા જયપુરથી શિફ્ટ કર્યા હતા. સંતે 20 જૂલાઈના રોજ આત્મવિલોપન કર્યું હતું. 22 જૂલાઈની રાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
ખનન વિરુદ્ધ સંત સમાજના ધરણા પ્રદર્શન
સંતનો પાર્થિવ દેહ નવી દિલ્હીથી યુપીના બરસાના લાવવામાં આવશે. જ્યાં તેમની 16 વર્ષિય પૌત્રીને સંતના અંતિમ દર્શન કરવામાં આવશે. ત્યાર બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ખનન વિરુદ્ધ સંત સમાજના ધરણા પ્રદર્શન લગભગ 500 દિવસથી ચાલી રહ્યા હતા. એક બાબા મોબાઈલ ટાવર પર જઈને પણ બેસી ગયા હતા. જ્યારે વિજય દાસે આત્મવિલોપન કરી લીધું હતું. ત્યારે પ્રશાસને તેમની વાત માની અને સમજાવીને આંદોલન સમેટી લેવાયું હતું.
હરિયાણાના રહેવાસી હતા બાબા વિજય દાસ
સંત વિજય દાસ હરિયાણામાં ફરીદાબાદ જિલ્લાના બડાલા ગામના રહેવાસી હતા. સાધુ બન્યા પહેલા તેમનું નામ મધુસુદન શર્મા હતું. એક દુર્ઘટનામાં તેમના દિકરા અને વહુના મોત થઈ ગયા. બાદમાં ખાલી બાબા અને તેમની પૌત્રી રહ્યા હતા. હવે ફક્ત પૌત્રી જ રહી છે.