જો 70 ટકા લોકોએ પણ માસ્ક સતત પહેર્યા હોત, તો કોરોના વાયરસની મહામારી આટલી ભયંકર ન હોત.
નવા સંશોધનમાં માસ્કને કોરોના મહામારીને રોકવા માટે ખૂબ ઉપયોગી બતાવાયું
70% લોકોએ માસ્ક પહેર્યું હોત તો આ સમસ્યા આટલી ગંભીર ન બની હોત
સંશોધનકારો કહે છે કે મહામારીને ઓછી કરી શકાય હોત અને ચેપ ફેલાતો રોકાઈ શકાયો હોત. આ ચોંકાવનારું નવું સંશોધન ફિઝિક્સ ઓફ ફ્લુઇડ્સ જર્નલમાં પ્રકાશિત થયું છે
માસ્કથી કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાયું હોત
અહેવાલના પ્રમાણે માસ્ક બનાવવા માટે વપરાતી સામગ્રી અને માસ્ક પહેરવાની અવધિની અસર ઉપર અધ્યયન કરવામાં આવશે. ફેસ માસ્ક ઉપર કરવામાં આવેલા અધ્યયનમાં આ સમીક્ષા કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય કપડાંથી મોઢું ઢાંકી રાખવાથી કોરોના સંક્રમણ ફેલાવવાનો દર રોકાઈ શકે છે.
70 ટકા લોકોએ માસ્ક પહેર્યું હોત તો સમસ્યા બેકાબૂ ન થઇ હોત
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સર્જિકલ માસ્કને જો લોકોએ જાહેર સ્થળોએ 70% કેસમાં પણ પહેરી રાખ્યું હોત તો મહામારીનો પ્રકોપ ઘટાડી શકાયો હોત. આ રિસર્ચ ટીમમાં નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના સંજય કુમારનો પણ સમાવેશ થાય છે.
નોંધનીય છે કે વૈજ્ઞાનિકો કહી ચુક્યા છે કે અત્યારે રસી કે દવાના અભાવે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જ મહામારી રોકવાનો ઉકેલ છે. નોંધનીય છે કે યુરોપના ઘણા દેશોમાં પણ માસ્ક પહેરવાને ફરજિયાત કરી દેવાયું છે.