ભાજપમાંથી હટાવાયેલા પ્રવક્તા નુપૂર શર્માની પયગંબર મહોમ્મદ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી બાદ મલેશિયા અને ઈંડોનેશિયાના હૈકર્સે ભારત વિરુદ્ધ સાઈબર યુદ્ધ છંછેડી દીધી હતું.
નૂપુર શર્માની ટિપ્પણી બાદ ભારત પર સાઈબર અટેક થયો
હૈકર્સે ભારતની 2 હજાર જેટલી વેબસાઈટ હેક કરી હોવાનો દાવો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ખુલાસા બાદ ખળભળાટ મચ્યો
ભાજપમાંથી હટાવાયેલા પ્રવક્તા નુપૂર શર્માની પયગંબર મહોમ્મદ પર કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી બાદ મલેશિયા અને ઈંડોનેશિયાના હૈકર્સે ભારત વિરુદ્ધ સાઈબર યુદ્ધ છંછેડી દીધી હતું. અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ શાખાએ શુક્રવારે આ જાણકારી આપી હતી. પોલીસે કહ્યુ ંછે કે, હૈકર ગ્રુપ ડ્રેગન ફોર્સ મલેશિયા અને હેક્ટિવિસ્ટ ઈંડોનેશિયાએ ભારત વિરુદ્ધ સાઈબર હુમલો શરૂ કર્યો. આ ઉપરાંત હૈકર ગ્રુપે દુનિયાભરના મુસ્લિમ હૈકર્સ તરફથી ભારત પર સાઈબર હુમલો શરૂ કરવાની અપીલ કરી હતી.
સાઈબર ક્રાઈમે લુકઆઉટ નોટિસ જાહેર કરી
અમદાવાદ સાઈબર ક્રાઈમ ટીમના અધિકારીઓએ હૈકર્સ ગ્રુપ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ માટે મલેશિયાઈ અને ઈંડોનેશિયાઈ સરકારો અને ઈંટરપોલને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે, ઢાણે પોલીસ, આંધ્ર પ્રદેશ પોલીસ અને આસામમાં એક સમાચાર ચેનલ સહિત બે હજારથી વધારે વેબસાઈટો હેક કરી હતી. એક લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન સમાચાર ચેનલની સ્ક્રીન ડાર્ક થઈ ગઈ અને તેના પર પાકિસ્તાની ઝંડો દેખાયો હતો. આ ઉપરાંત ચેનલના નિચલા બેંન્ડ પર એક ટેક્સ્ટ લખેલું દેખાયું હતું. તેમાં લખ્યું હતું. પવિત્ર પયગંબર હઝરત મુહમ્મદ SAWનું સન્માન કરો.
ભારતની 2 હજાર જેટલી વેબસાઈટો હેક કરી હોવાનો દાવો
આ મામલે જાણકારી આપતા અમદાવાદ પોલીસ સાઈબર ક્રાઈમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, મલેશિયા અને ઈંડોનેશિયાના હૈકીંગ ગ્રુપના અમુક હૈકર્સની જાણકારી અમે કાઢી છે. તેમના IPની જાણકારી પણ કાઢવામાં આવી છે. આ લોકોએ 2 હજાર જેટલી વેબસાઈટો હેક કરી હતી. અમદાવાદ સાઈબર ક્રાઈમે મલેશિયાઈ અને ઈંડોનેશિયાઈ સરકારોને પત્ર લખ્યો છે અને ઈંટરપોલના બંને ગ્રુપ માટે લુકઆઉટ નોટિસ જાહેર કરવા માટે પણ લેટર લખ્યો છે.
દેશની જનતાનો ડેટા લીક કર્યો હોવાનો દાવો
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સાઈબર ક્રાઈમ કરનારા અપરાધીઓએ નુપુર શર્માનું એડ્રેસ સહિત તેમની પર્સનલ વિગતો પણ ઓનલાઈન લીક કરી હતી. કેટલાય લોકોના આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો પણ ઓનલાઈન લીક થઈ ગઈ છે. નૂપુર શર્માની ટિપ્પણી એક વૈશ્વિક વિવાદને જન્મ આપ્યો હતો. કેટલાય દેશોએ તેમની ટિપ્પણીની ટિકા કરી હતી. ત્યાર બાદ મોટા પાયે વિરોધ થતાં અરબ દેશોએ સુપરમાર્કેટમાંથી ભારતીય વસ્તુઓનો પણ બહિષ્કાર કર્યો હતો. વિવાદ વકરતા ભારતીય જનતા પાર્ટીએ તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.