તણાવ એટલે કે સ્ટ્રેસ આજકાલ દરેકની લાઈફનો એક મહત્વનો ભાગ બની ગયો છે. રોજિંદા જીવનમાં ઘણી એવી બાબતો હોય છે જે તણાવનું કારણ બને છે. આપણાં રોજિંદા કામમાં કેટલીક એવી આદતો હોય છે જે તણાવને વધારે છે. આ આદતો સામાન્ય હોઈ શકે છે પણ તણાવ વધારવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. જેથી આવી આદતો તરત જ બદલી દેવી જોઈએ, કારણ કે રોજ રહેતો તણાવ રોગોને નોતરે છે. ચાલો જાણીએ આ આદતો વિશે.
તણાવને નોતરે છે તમારી આવી આદતો
તણાવથી શરીરમાં પ્રવેશે છે રોગો
આ આદતો જલ્દીથી છોડી દો
સૂવામાં અનિયમિતતા
તણાવમુક્ત જીવન જીવવા માટે સ્વસ્થ અને નિયમિત ઊંઘ સૌથી મહત્વનો ભાગ છે. જોકે કામનું ભારણ અને બિઝી લાઈફને કારણે લોકો નિયમિત પૂરતી ઊંઘ લેતા નથી, આ આદતને કારણે તણાવ વધવા લાગે છે.
નાસ્તો ન કરવો
ઘણાં લોકો સવારે નાસ્તો કરતા નથી અથવા તો ગમે તે અનહેલ્ધી નાસ્તો ખાઈ લે છે. નાસ્તો આખા દિવસનો સૌથી અગત્યનો પાર્ટ હોય છે. જેથી આ આદત તણાવનું કારણ બની શકે છે. કારણ કે તેનાથી શરીરમાં ફેટ્સ અને કાર્બ્સ પણ વધી શકે છે.
સોશિયલ મીડિયા
આ એક મોટી સમસ્યા અને તણાવ માટેનું એક મોટું કારણ પણ છે. સોશિયલ મીડિયા મોટાભાગે લોકોમાં તણાવ વધારવાનું કામ કરે છે. કારણ કે સોશિયલ મીડિયામાં દેખાતી વસ્તુઓ માનસિક શાંતિ નષ્ટ કરી દે છે.
વર્કઆઉટ ન કરવું
નિયમિત શારીરિક કસરત કરવાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થયા છે. જે તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. જેથી રોજ ફિઝીકલ એક્ટિવિટી ન કરવાથી તણાવ વધી શકે છે.
કામ અને અગંત જીવનને અલગ ન રાખવું
આજકાલ લોકો કામને ઘરે લઈ જાય છે. કોમ્પિટિશનના કારણે લોકો પર્ફોમેન્સને લઈને તણાવમાં રહે છે. આના કારણે તણાવ અને ચિંતા વધવા લાગે છે. જેના કારણે માનસિક શાંતિ અને આરામ મળતો નથી.