રાજધાની દિલ્હીમાં સોમવારથી જિમ અને યોગા સેન્ટર ખોલી શકાશે. કેન્દ્ર સરકારની તરફથી જાહેર કરાયેલા અનલોક 4.0ની ગાઈડલાઈનના આધારે દિલ્હી સરકારે ઔપચારિક રીતે આદેશ જાહેર કર્યા છે. જેમાં જિમ અને યોગ સંસ્થાઓ તાત્કાલિક રીતે ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આ સમયે કેન્દ્ર સરકારની તરફથી જાહેર કરાયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરને લાગૂ કરાશે.
દિલ્હીવાસીઓ માટે આવ્યા સારા સમાચાર
દિલ્હી સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
જિમ અને યોગ સંસ્થાઓ તાત્કાલિક રીતે ખોલી શકાશે
દિલ્હી સરકારના આદેશ અનુસાર જિમ અને યોગ સેન્ટર્સ સિવાય સાપ્તાહિક બજારને પણ 30 સપ્ટેમ્બર સુધી ખોલવાની પરમિશન આપવામાં આવી છે. 14 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરમાં અલગ અલગ વિસ્તારોમાં એક દિવસે એક સાપ્તાહિક બજાર ખોલી શકાશે.
Gyms & yoga institutes permitted (except in containment zones) with immediate effect subject to strict compliance of SOP. One weekly market per day per zone in all 3 Municipal Corporations/NDMC/Delhi Cantonment Board allowed from 14-30 Sept (except containment zones): Delhi Govt pic.twitter.com/1y198ZdSCR
કેજરીવાલ સરકારે આ નિર્ણય દિલ્હીના 5500 જિમ માટે લીધો છે. આ સિવાય જિમ અને યોગ સેન્ટર્સને લઈને એસઓપી પણ જાહેર કરી છે. જેના આધારે જિમની અંદર દરેક 4 વર્ગ મીટરમાં એક જ વ્યક્તિ રહેશે. જિમ કરનારા વ્યક્તિને ઓછામાં ઓછા 20 સેકંડે પોતાના હાથ સેનેટાઈઝ કરતા રહેવું પડશે. આ સાથે દરેક મશીનો 6 ફૂટના અંતરે રાખવાની રહેશે. જિમના મેન ગેટ પર સેનેટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનિંગનો નિયમ પણ બનાવાયો છે. આ સાથે જિમમાં દરેકે ફેસ માસ્ક લગાવવાનું પણ જરૂરી રહેશે.
દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત
રવિવારે દિલ્હીમાં કોરોના સંક્રમણના 4235 નવા કેસ આવ્યા છે. આ સાથે દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 2,18,304 થઈ છે. આ સાથે 4744 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક દિવસમાં સૌથી વધુ કેસ શનિવારે આવ્યા હતા. દિલ્હીમાં 1,84,748 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. શનિવારે અહીં 60,076 કેસની તપાસ કરાઈ હતી.