વિવાદીત જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસીની જિલ્લા કોર્ટમાં આજે બંને પક્ષને સાંભળીને સુનાવણી કરી હતી, જો કે આગામી તારીખ સુધી ચુકાદો સુરક્ષિત રાખવામા આવ્યો છે.
વારાણસી જિલ્લા કોર્ટમાં થઈ સુનાવણી
આગામી સુનાવણી 26મેના રોજ થશે
કોર્ટે કહી આ વાત
જ્ઞાનવાપી કેસમાં વારાણસીની જિલ્લા કોર્ટે 26 મેના રોજ આગામી સુનાવણી કકરશે. જિલ્લા જશે સ્પષ્ટ કર્યું છે કે, 26મેના રોજ કેસની મેંટેનેબિલિટી એટલે કે, 7-11 પર સૌથી પહેલા સુનાવણી થશે. કોર્ટે બંને પક્ષોને જ્ઞાનવાપીના સર્વે રિપોર્ટ પર એક અઠવાડીયામાં વાંધા અરજી દાખલ કરવા કહ્યું છે. હકીકતમાં જોઈએ તો, સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ સાથે જોડાયેલી તમામ અરજીઓ સેશન કોર્ટથી જિલ્લા કોર્ટમાં ટ્રાંસફર કરવાનો આદેશ આપ્યો હતો. સોમવારે જિલ્લા જજ અજય કૃષ્ણ વિશ્વેશાએ બંને પક્ષને 45 મીનિટ સુધી સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
Correction | Hearing on the Muslim side's plea under order 7 11 CPC regarding the rejection of suit will take place on May 26th. Court* asked both sides to file an objection to the commission report, and submit the report within one week: Hindu side's Advocate Vishnu* Jain pic.twitter.com/dutyJyC5vi
હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે જણાવ્યું છે કે, જ્ઞાનવાપી-શ્રૃંગારગૌરી મામલે બંને પક્ષ તરફથી કેટલીય અરજીઓ દાખલ કરવામાં આવી છે. કઈ અરજી પર પહેલા સુનાવણી થશે, જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની કોર્ટે તેના પર ચુકાદો સંભળાવશે. તેમણે જણાવ્યું હતું કે, હિન્દુ પક્ષ તરફથી કહેવામાં આવ્યું છે કે, કમીશનની કાર્યવાહી પહેલા થઈ છે, એટલા માટે મુસ્લિમ પક્ષ તેના પર વાંધો ઉઠાવે.
કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
તો વળી શાસકીય વકીલ રાણા સંજીવ સિંહે જણાવ્યું હતું કે, મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેના પર મુસ્લિમ પક્ષે કોર્ટમાં આજે દલીલ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુસ્લિમ પક્ષે દાવો કર્યો છે કે, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, કેસ ચલાવાને લાયક છે કે, નહીં તેના પર પહેલા સુનાવણી કરવામાં આવે. તો વળી હિન્દુ પક્ષે જિલ્લા કોર્ટમાં કહ્યું કે, સિવિલ જજ સીનિયર ડિવીજનની કોર્ટે કમીશનની કાર્યવાહી પર બંને પક્ષ સામે વાંધાઓ માગ્યા હતા. પેહલા જિલ્લા જજની કોર્ટમાં તેના પર સુનાવણી થવી જોઈએ. જિલ્લા જજે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.