જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ એક મોટો ચુકાદો આપતા જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરીને નમાઝ ચાલુ રાખવાનો આદેશ આપી દીધો છે.
જ્ઞાનવાપી મસ્જિદ મામલે હવે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
જે જગ્યાએ શિવલિંગ મળ્યું તેને સીલ કરવાનો આદેશ
નમાઝમાં કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવાનો પણ તંત્રને હુકમ
વારાણસી બાદ હવે સુપ્રીમ કોર્ટમાં પણ જ્ઞાનવાપી મસ્જિદની સુનાવણી થઈ હતી. જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ફેંસલો આપ્યો છે. જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની વાળી ખંડપીઠે તંત્રને એવો આદેશ આપ્યો કે જે જગ્યાએથી શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવામાં આવે અને તેને પુરી સુરક્ષા પ્રદાન કરવામાં આવે. કોર્ટે તંત્રને એવું પણ કહ્યું કે આને કારણે નમાઝમાં કોઈ અડચણ ન આવવી જોઈએ.
Supreme Court orders that DM Varanasi shall ensure that the area where the Shivling is reported to be found, shall be duly protected.
જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધનો સુપ્રીમનો ઈન્કાર
સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધનો ઈન્કાર કરતા જણાવ્યું કે આ કેસની નીચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે તેથી તેના ચુકાદાની રાહ જોવી જોઈએ.
જ્ઞાનવાપી મસ્જિદની અંદર શિવલિંગ કયા ઠેકાણે મળ્યું-સુપ્રીમે યુપી સરકારને પૂછ્યું
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપી સરકારના વકીલને પૂછ્યું કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર એક્ઝેટ શિવલિંગ ક્યાં મળ્યું છે. આ અંગે જવાબ આપતા યુપી સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે રિપોર્ટ જોયો નથી એટલે અમને આવતીકાલ સુધીનો સમય આપો અને ત્યાર બાદ જવાબ આપીશું.
હવે આ કેસની 19મે ના દિવસે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ હવે આ કેસની વધારે સુનાવણી 19મેના દિવસે કરશે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે આગામી સુનાવણી સુધી અમે વારાણસીના ડીએમને આદેશ આપીએ છીએ કે જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે તેની સુરક્ષા આપવામાં આવે પરંતુ આને કારણે મુસ્લિમોને નમાઝ પઢવામાં કોઈ અડચણ ન આવવી જોઈએ.
Supreme Court also orders that direction to protect the area where Shivling is reported to be found shall not in any manner restrain or impede access of Muslims to the mosque or use of it for performing prayers and religious observances.
વારાણસી કોર્ટે પણ આપ્યો ચુકાદો, કમિશનર અજય મિશ્રાને હટાવ્યાં
જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ વિવાદ વધુ ઘેરો બન્યો છે. હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદ પરિસરની અંદર શિવલિંગ મળી આવ્યું હતું, જ્યારે મુસ્લિમ પક્ષે કહ્યું હતું કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. આ કેસની આજે થયેલી સુનાવણીમાં કોર્ટે કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. અજય મિશ્રા મીડિયામાં માહિતી લીક કરતા હોવાથી કોર્ટે તેમની સામે કાર્યવાહી કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે અજય મિશ્રાના સહાયક આરપી સિંહ મીડિયામાં માહિતી લીક કરી રહ્યા હતા. આ ઉપરાંત મુસ્લિમ પક્ષે અજય મિશ્રાને પણ હટાવવાની માગણી કરી હતી. સાથે જ અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ સર્વે ટીમનો ભાગ રહેશે.વારાણસી કોર્ટે આ કેસમાં બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
SC issues notice to Hindu petitioners & UP govt on plea of Anjuman Intezamia Masajid challenging Varanasi dist court order which directed videographic survey of Gyanvapi Mosque complex, adjacent to Kashi Vishwanath Temple in Varanasi. The responses are to be filed by May 19th. pic.twitter.com/WIGV8hEAUw
જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાંનો હિંદુઓનો દાવો, મુસ્લિમોએ કહ્યું ફૂવારો છે
ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે દરમિયાન શિવલિંગ મળ્યું હોવાનો દાવો કરાયો હતો જોકે મુસ્લિમોએ આ દાવાને ફગાવી દેતા કહ્યું હતું કે તે એક ફૂવારો છે. આ મામલે વારાણસી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.