જ્ઞાનવાપીને લઇને આજે અલગ-અલગ મુદે સુપ્રીમ કોર્ટ, હાઇકોર્ટ અને જિલ્લા કોર્ટમાં સુનવણી થઇ. સુનવણીમાં સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી શિવલિંગનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે શિવલિંગને કોઇ છુપાવશે નહીં.
જ્ઞાનવાપીને લઇને સુપ્રીમ કોર્ટનો આદેશ઼
કોર્ટે શિવલિંગનું સંરક્ષણ કરવા આપ્યો આદેશ
કોર્ટે કહ્યું કે શિવલિંગને કોઇ છુપાવશે નહીં
વારાણસીના જ્ઞાનવાપી મામલામાં આજે અગત્યનો દિવસ રહ્યો છે. આ મુદે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી શિવલિંગનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ કોઇ શિવલિંગને છુપાવે નહીં તેવી વાત પણ કરી છે. આ પહેલા કોર્ટે 12 નવેમ્બર સુધી વજુખાનાનાં સંરક્ષણ માટેનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ કોર્ટ જ્ઞાનવાપી પરિસરનાં ASI સર્વે કરાવવાની માંગ પર હવે 28 નવેમ્બરનાં રોજ સુનાવણી કરશે.
Gyanvapi mosque: SC extends order of protection of areas where 'Shivling' was stated to be found
સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મુદે આપ્યો આદેશ
દેશની સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલ શિવલિંગ જેવી રચનાનું સંરક્ષણ કરવા સંબંધિત આદેશને આગળ વધારવાની માંગ પર સુનાવણી કરી તો બીજી તરફ હાઇકોર્ટની નીચલી અદાલતમાં આપવામાં આવેલ સર્વેક્ષણનાં આદેશનાં વિરુદ્ધમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે અરજદારોને છૂટ આપી છે કે તે જિલ્લા કોર્ટમાં પણ જઇ શકે છે. આ સાથે જ કોર્ટ હિન્દૂ પક્ષને પોતાના પક્ષ તરીકે રાખવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.
આ છે સમગ્ર મામલો
ઓગસ્ટ 2021માં 5 મહિલાઓએ શ્રૃંગાર ગૌરીમાં પૂજન અને વિગ્રહોની સુરક્ષાને લઇને અરજી કરેલ હતી. તેના પર સિવિલ જજ સીનીયર ડિવિઝન રવિકુમાર દિવાકરે કોર્ટ કમિશ્નર નિયુક્ત કરી જ્ઞાનવાપીનો સર્વે કરવા આદેશ આપ્યો હતો. હિન્દૂ પક્ષનો દાવો હતો કે સર્વે દરમિયાન શિવલિંગ મળી આવ્યું હતું જ્યારે મુસ્લિમ પક્ષનો દાવો હતો કે અહીં એક ફુંવારો છે. ત્યારબાદ હિન્દુ પક્ષે વિવાદિત સ્થળને સીલ કરવાની માંગ કરી. સેશન્સ કોર્ટે તેને સીલ કરવા આદેશ આપ્યાં હતાં જેના વિરોધમાં મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટ તરફ વળ્યાં હતાં.
સુપ્રીમ કોર્ટે વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે મસ્જિદની અંદર જે સ્થાન પર કથિત શિવલિંગ મળેલ છે તેને સુરક્ષિત રાખવામાં આવે. આ સાથે જ કોર્ટે કહ્યું કે ધ્યાન રાખવામાં આવે કે મુસલમાનો નમાજ પડવાનો અધિકાર આ પગલાંથી અવરોધાય નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસ જિલ્લા જજને ટ્રાન્સ્ફર કરી આ વિવાદ પર નિયમિત સુનાવણી કરી નિર્ણય સંભળાવવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હિન્દૂ પક્ષ
સુપ્રીમ કોર્ટે વારાણસીનાં જ્ઞાનવાપી મસ્જિદમાં મળેવ કથિત શિવલિંગને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 નવેમ્બરનાં પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં હિન્દૂ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને શિવલિંગને સંરક્ષિત રાખવાનાં અંતિમ આદેશને આગળ વધારવાની માંગ કરી જેને સીજેઆઇ ચંદ્રચૂડે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે સંરક્ષણને લઇને નવી બેન્ચ બનાવવી પડશે.