શુક્રવારના રોજ જ્ઞાનવાપી મસ્જિદ મામલે મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
જ્ઞાનવાપી મસ્જિદ પર સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણય લેવાયો
મુસ્લિમ પક્ષની અરજી પર કોર્ટમાં થઈ હતી સુનાવણી
બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો
શુક્રવારના રોજ જ્ઞાનવાપી મસ્જિદ મામલે મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષે દલીલો આપી હતી, જે બાદ કોર્ટે આ મામલો જિલ્લા કોર્ટ પાસે મોકલી દીધો છે. આ મામલામાં હવે વારાણસીની જિલ્લા કોર્ટ સુનવાણી કરશે.
જિલ્લા કોર્ટ પાસે મોકલ્યો આ કેસ
આ અગાઉ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતુ કે, આ મામલો જિલ્લા જજ પાસે મોકલી શકે છે, જ્યાં બંને પક્ષ પોતાની વાત રજૂ કરશે. તો વળી મુસ્લિમ પક્ષે વારાણસી કોર્ટના આદેશને રદ કરવાની માગ કરી છે. કોર્ટે સુનાવણી કરતા કહ્યું કે, તથ્થ નક્કી કરવું તે, સેક્શન 3નું ઉલ્લંઘન નથી. જ્ઞાનવાપી મસ્જિદ મામલામાં વારાણસીની જિલ્લા કોર્ટ સુનાવણી કરશે, સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો આદેશ આપ્યો છે.
Gyanvapi mosque case | SC says the trial of the matter will be done by district judge Varanasi. SC says its interim order of May 17 for protection of Shivling area will continue. Arrangement of Wuzu will be done. We're very happy with order: Adv Vishnu Jain, Hindu side's lawyer pic.twitter.com/4kGditCILC
આ અગાઉ આસિસ્ટેંટ કોર્ટ કમિશ્નર અજય પ્રતાપ સિંહે મસ્જિદથી સંબંધિત સર્વે પર જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આજે ત્રણ વાગ્યે સુનાવણી કરશે. મેં સાંભળ્યું છે કે, કોર્ટમાં જમા કરવામા આવેલા સર્વે રિપોર્ટ લીક થઈ ગયા છે. મને નથી ખબર કે, આખરે આવું કેવી રીતે બન્યું ?
તો વળી ઈંતેજામિયા કમિટિના મહાસચિવ અબ્દુલ બાતિન નોમાનીએ કહ્યું હતું કે, તમામ જૂની શાહી મસ્જિદોમાં એક ફુવારો છે. બનારસમાં 3 શાહી મસ્જિદો છે, જેમાં જ્ઞાનવાપી, આલમગિરી અને ધરારામાં ફુવારો છે. સમગ્ર યુપીમાં આપને કેટલાય આવા ફુવારા મળી જશે. આ ફક્ત એક ફુવારો છે. તે કેવી રીતે શિવલિંગ હોઈ શકે.