જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે જ્ઞાનવાપી સંકુલમાં મળેલા કથિત શિવલિંગની સુરક્ષા અને જાળવણી માટેના વચગાળાના આદેશને આગળના આદેશ સુધી લંબાવ્યો છે.
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી રાહત
કથિત શિવલિંગની સુરક્ષા અને જાળવણી મામલો
સુપ્રીમ કોર્ટે કથિત શિવલિંગ સંકુલના રક્ષણની વાત કરી
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે શુક્રવારે જ્ઞાનવાપી સંકુલમાં મળેલા કથિત શિવલિંગની સુરક્ષા અને જાળવણી માટેના વચગાળાના આદેશને આગળના આદેશ સુધી લંબાવ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 5 ડિસેમ્બરે થશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે જ્ઞાનવાપી કેસમાં દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી. આ અપીલમાં હિન્દુ પક્ષોએ સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશને વધુ લંબાવવાની માંગ કરી હતી. વચગાળાના આદેશમાં સુપ્રીમ કોર્ટે કથિત શિવલિંગ સંકુલના રક્ષણની વાત કરી હતી.
બન્ને પક્ષમાં કોર્ટમાં દલીલો કરવામાં આવી
જોકે, અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ પણ કોર્ટમાં દલીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની બેન્ચે ગુરુવારે એડવોકેટ વિષ્ણુ શંકર જૈનની અરજી પર સુનાવણી કરી હતી. હિંદુ પક્ષકારોના વકીલ જૈને સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમનો 17 મેનો આદેશ 12 નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે. આ મામલે વધુ સમય આપવો જોઈએ. જૈને આ મામલે તાકીદે સુનાવણીની અપીલ કરી હતી.
કોર્ટે જિલ્લા પ્રશાસનને આદેશ આપ્યો હતો
17 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાનો આદેશ આપ્યો હતો. તેમણે વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને જે જગ્યામાં શિવલિંગ મળી આવ્યું હતું તેને સાચવવા અને સુરક્ષિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. દરમિયાન, સુપ્રીમ કોર્ટે લઘુમતીઓને જ્ઞાનવાપી મસ્જિદમાં નમાઝ અદા કરવાની મંજૂરી પણ આપી હતી. બીજી તરફ ફાસ્ટ ટ્રેક કોર્ટે પણ 8 નવેમ્બરે આપેલા આદેશને 14 નવેમ્બર સુધી ટાળી દીધો હતો. વાસ્તવમાં, કોઈએ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અપીલ કરી હતી કે જ્યાંથી કથિત શિવલિંગ મળ્યું છે, ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
કાર્બન ડેટિંગની માંગને નકારી કાઢવામાં આવી હતી
અગાઉ ઓક્ટોબરમાં હિન્દુ પક્ષોએ કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની તપાસની માંગ કરી હતી. જ્ઞાનવાપી-શ્રિંગાર ગૌરી કેસમાં કોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની તપાસ થશે નહીં. પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું કે જ્યાંથી કથિત શિવલિંગ મળી આવ્યું છે, તેને સુરક્ષિત રાખવું જોઈએ. તમને જણાવી દઈએ કે 11 ઓક્ટોબરે કોર્ટે 14 ઓક્ટોબર સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.