ગ્વાલિયર એરપોર્ટ પર ગુરુવારે મોડી રાતે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ.
મહારાજપુરા એરબેસ પર એક પ્લેન રન વે પર લપ્સી ગયુ
પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહ્યુ હતુ
આ ઘટનામાં 2 પાયલટ સહિત 3 લોકો ઘાયલ થયા
મહારાજપુરા એરબેસ પર એક પ્લેન રન વે પર લપ્સી ગયુ
ગ્વાલિયર એરપોર્ટ પર ગુરુવારે મહારાજપુરા એરબેસ પર એક પ્લેન રન વે પર લપ્સી ગયુ. આ પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહ્યુ હતુ. આ ઘટનામાં 2 પાયલટ સહિત 3 લોકો ઘાયલ થયા છે. ગ્વાલિયર એરપોર્ટ પર મોડી રાતે હડકંપ મચી ગયો જ્યાં રેમડેસિવિર ઈન્જેક્શન લઈને આવી રહેલું પ્લેન રનવે પર લપસી ગયુ. આ પ્લેન ઈન્દોરથી ઈન્જેક્શનની ખેપ લઈને આવી રહ્યુ હતુ. ઘટનામાં 2 પાયલટ સહિત 3 લોકો ઘાયલ થયા છે.
પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહ્યુ હતુ
પ્લેનના પાયલટ એસએમ અખતર અને શિવશંકર જયસવાલ ચલાવી રહ્યા હતા. બન્નેને ઈજા પહોંચી છે. પ્લેનમાં ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહેલા નાયબ તલાટી દિલીપ પણ સવાર હતા. આ દુર્ઘટનામાં તે ઘાયલ થયા. પોલીસ પ્રશાસને ત્રણેય ઘાયલોને જયારોગ્ય હોસ્પિટલમાં મોકલ્યા છે. કેપ્ટન મજીદ અખ્તરના પગના અંગુઠા પર ઈજા પહોંચી છે, કો પાયલટ શિવશંકરના જડબામાં ફેક્ચર થયું છે અને નાયબ તલાટીને ઈજા પહોંચી છે.
પ્રશાસને આની પુષ્ટિ કરી
ગ્વાલિયર કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી છે. સમાચાર મળતા જ એસડીએમ અનિલ બનવરિયા પણ હોસ્પિટલમાં પહોંચી ગયા. રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો લઈને આવી રહેલું આ પ્લેન મધ્ય પ્રદેશ સરકારનું છે.
2 મહિના પહેલા પણ બની ઘટનામા
ગ્વાલિયરમાં 2 મહિના પહેલા 17 માર્ચે એક વિમાન દુર્ઘટના બની હતી. મહારાજપુરા એરબેસ પર એરફોર્સના મિગ 21 બાયસન ક્રેશ થઈ ગયુ હતુ. તે ઘટનામાં પાયલટ આશીષ ગુપ્તા શહીદ થઈ ગયા હતા. ફાયટર મિગ વિમાન પોતાની પ્રશિક્ષણ ઉડાન પર હતુ. રિફ્યૂલિંગ બાદ જેવું પ્લેને ઉડાન ભરી બપોરે લગભગ 12 વાગ્યે તે આગના ગોળામાં ફેરવાઈ ગયુ અને ક્રેશ થઈ ગયુ હતુ. એરબેસથી ટેક ઓફ કરતા જ પ્લેનમાં ચિંગારી નિકળી અને જોત જોતામાં તેણે ભીષણ આગ પકડી લીધી. પાયલટે પ્લેનની દિશા બલ્દી જેથી હેંગર પર ઉભા વિમાનોને બચાવી શકાય. તે દરમિયાન મિ8 પ્લેન થાંભલા સાથે અથડાતા ક્રેશ થઈ ગયું.