મધ્યપ્રદેશનાં ગ્વાલિયર શહેરમાં થયેલા એક લગ્નએ ખાસી ચર્ચા જગાવી છે. ગ્વાલિયરના ઈંદ્રમણિનગર રહેતા પંડિત અશોક દુબેની પુત્રી નીતુના લગ્ન મધ્યપ્રદેશનાં શ્યોપુર નિવાસી ડો. આશુ સાથે નક્કી થયા હતા. પરંતુ નીતુએ પોતાના ભાઈ કમલદુબેનાં માધ્યમથી વરપક્ષ સામે વૃક્ષારોપણની શરત રાખી. વૃક્ષારોપણની માગને તેના પતિ આશુ દીક્ષિત એક શરત તરીકે નથી જોઈ રહ્યાં પરંતુ તેને એક ઉમદા વિચાર ગણી રહ્યાં છે. જો કે આ તરફ નીતુની વૃક્ષારોપણની શરત વરપક્ષે હોંશે હોંશે વધાવી લીધી.
દર વર્ષે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેમ કે બદલાતા વૈશ્વિક તાપમાનમાં એ સમયની માગ બની ગઈ છે. પરંતુ તેમ છતાં દર વર્ષે વૃક્ષારોપણ માટે જે જોશપૂર્વક પહેલ કરવામાં આવે છે તેટલી તે પછી તેના માટે તેના સંરક્ષણ માટે ધ્યાન અપાતું નથી. પરંતુ વૃક્ષારોપણની વાત જ્યારે સામાજિક રિવાજ સાથે જોડાઈ જાય છે ત્યારે પર્યાવરણના જતનની ઊજળી આશા ઊભી થાય છે. આવી જ કંઈ વાત સામે આવી છે મધ્યપ્રદેશનાં ગ્વાલિયર શહેરથી, જ્યાં એક કન્યાએ લગ્ન પહેલા સાસરીપક્ષ સામે 100 વૃક્ષો રોપવાની માંગ કરી અને સાસરી પક્ષે આ શરત હોંશે હોશે વધાવી પણ લીધી. ત્યારે જોઈએ લગ્નની અનોખી ઉજવણીનો આ અહેવાલ.
મધ્યપ્રદેશ (Madhya Pradesh) નાં ગ્વાલિયર (Gwalior) શહેરમાં થયેલા એક લગ્ન (marriage) એ ખાસી ચર્ચા જગાવી છે. ગ્વાલિયરના ઈંદ્રમણિનગર રહેતા પંડિત અશોક દુબેની પુત્રી નીતુના લગ્ન મધ્યપ્રદેશનાં શ્યોપુર નિવાસી ડો. આશુ સાથે નક્કી થયા હતા. પરંતુ નીતુએ પોતાના ભાઈ કમલદુબેનાં માધ્યમથી વરપક્ષ સામે વૃક્ષારોપણની શરત રાખી. ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી કન્યા નીતુએ વરપક્ષ સામે એ શરત રાખી કે, પહેલા વરપક્ષ તરફથી સો ફળદાર અને છાંયડો આપનાર વૃક્ષો રોપે. તે પછી જ તે જાન લઈને પરણવા આવે.
પ્રકૃતિ સંરક્ષણની ચિંતા કરતી નીતુનું કહેવું છે કે, અખબાર અને ચેનલોમાં દરરોજ એ ખબર જોવા અને સાંભળવા મળે છે કે, દર વર્ષે અનેક લોકો ભીષણ ગરમીના કારણે મૃત્યુને ભેટી રહ્યાં છે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં લોકો એક બાલટી પાણી માટે તરસી રહ્યાં છે.
એ વાત તેણીને ઘણી દુખી કરી રહી છે. આથી તે પોતાના પરિવાર અને મિત્રો સાથે મોટા ભાગે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેતી હોય છે. ત્યારે હવે તે પોતાના જ લગ્નમાં વૃક્ષારોપણ કરાવીને પર્યાવરણ માટે સારું કામ કરી શકે છે. તેની આ વૃક્ષારોપણની માગને તેના પતિ આશુ દીક્ષિત એક શરત તરીકે નથી જોઈ રહ્યાં પરંતુ તેને એક ઉમદા વિચાર ગણી રહ્યાં છે. જો કે આ તરફ નીતુની વૃક્ષારોપણની શરત વરપક્ષે હોંશે હોંશે વધાવી લીધી.
વરરાજા આશુ દીક્ષિતના પિતા પંડિત ઉપેન્દ્ર દીક્ષિત પોતે પણ પ્રકૃતિ સંરક્ષક છે. તેઓ સમયે સમયે વૃક્ષારોપણ કરે છે. આથી પુત્રવધૂની વૃક્ષારોપણની ઈચ્છા જાણીને તેમને પણ આનંદ થયો. તેમણે તરત જ પોતાના પુત્ર અને પુત્રવધૂનાં લગ્નપ્રસંગને વૃક્ષારોપણથી શોભાવવા ઈચ્છા દર્શાવી. એટલું જ નહીં સાસરી પક્ષ તરફથી સૌ વૃક્ષો રોપવા અને તેનું જીવનભર સંરક્ષણ કરવાનું વચન આપવામાં આવ્યું. વૃક્ષારોપણ એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. ત્યારે આવા શિક્ષિત યુવકોની પ્રકૃતિ સંરક્ષણની પહેલથી ધરતી ફરી વાર નંદનવન બની શકે છે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી.