આપણા દરેકના મનમાં એક સવાલ હશે કે મર્યા પછી લોકો ક્યાં જાય છે અને તેમનો બીજો જન્મ થાય છે કે નહી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ મરીને જીવતો થયો છે.
આ શખ્સ મર્યા બાદ જીવીત થયો
ભગવાને સંદેશ સાથે પાછો મોકલ્યો
20 મિનીટ બાદ ફરી જીવી ઉઠ્યો શખ્સ
20 મિનીટ બાદ જીવતો થયો શખ્સ
60 વર્ષના સ્કોટ નામના શખ્સનો દાવો છે કે જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું મોત થઇ ગયુ હતુ અને 20 મિનીટ માટે મૃત્યુ પામ્યો અને જીવતો થઇ ગયો હતો.
ભગવાને પરત મોકલ્યો
સ્કોટનું કહેવું છે કે જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું એક્સિડેન્ટ થઇ ગયુ હતુ અને તેના હાથનો અંગૂઠો તૂટી ગયો હતો. ઓપરેશન દરમિયાન તેનુ મોત થયુ હતુ અને સ્કોટ 20 મિનીટ બાદ જીવતો થયો હતો. તેણે કહ્યું કે, તેણે બીજી દુનિયા જોઇ હતી અને ભગવાને તેને પાછો મોકલ્યો અને કહ્યું કે હજુ તારો સમય આવ્યો નથી.
મર્યા બાદ શું થયુ
સ્કોટે દાવો કર્યો કે મર્યા બાદ નર્સને વાત કરતા સાંભળી અને તેની બાજૂમાં એક શક્તિ હતી જે તેને લઇ ગઇ અને એક ખુબસુરત મેદાનમાં લઇ ગઇ. તે મેદાનમાં રંગબેરંગી ફૂલ હતા, કમર સુધી મખમલી ઘાંસ હતુ અને સફેદ વાદળ તેને અડી રહ્યાં હતા. સુંદર વૃક્ષ હતા અને આવો નજારો તેણે ક્યારેય જોયો નથી.
કેમ ફરી થયો જીવતો
સ્કોટે કહ્યું કે તે અદ્રશ્ય શક્તિ સાથે વાદળો તરફ થઇ રહ્યો હતો પરંતુ કોઇએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે હજુ તારો સમય નથી આવ્યો અને તારે ઘણુ બધુ કરવાનુ બાકી છે. જે બાદ ઝટકા સાથે જે પોતાના શરીરમાં પાછો આવી ગયો હતો.