વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના પ્રસિદ્ધ ત્રિસૂર જિલ્લામાં આવેલ ગુરુવાયૂર મંદિરમાં પૂજા અર્ચના કરી. કેરળનું ગુરુવાયૂર મંદિરનો ઇતિહાસ ઘણો રોચક રહ્યો છે. આવો, અહીં જાણીએ આ મંદિરની વિશેષતા.
ગુરુવાયૂર મંદિરમાં ભગવાન ગુરુવાયૂરપ્પનની પૂજા કરવામાં આવે છે. ગુરુવાયૂરપ્પનને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ કારણે તેને ગુરુવાયૂર શ્રી કૃષ્ણ મંદિર પણ કહે છે. કેરળના આ પવિત્ર સ્થાનને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવામાં આવે છે. જ્યા કૃષ્ણનો જન્મ થયો હતો.
ગુરૂવાયૂર મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જુનો છે. મંદિરમાં રહેનાર પુજારીને 'મેંસાતી' કહે છે. જે 24 કલાક ભગવાનની સેવામાં રહેતા હોય છે.
ગુરવાયૂર મંદિરમાં આવનાર તમામ શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓને 'મુંડુ' નામના પોશાક પહેવી ફરજીયાત છે. જ્યારે બાળકોને 'વેષ્ટી' પહેરાવવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓને માત્ર સૂટ-સલવાર અને સાડીમાં પ્રવેશ કરી શકે છે.
આપને જાણીને કદાચ આશ્ચર્ય થઇ શકે છે, પરંતુ મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ જવાની મંજૂરી આપવામાં આવે છે. બીજા ધર્મના કોઇપણ વ્યક્તિને મંદિર પરિસરમાં પ્રવેશવા પર સખત પ્રતિબંધ છે.
ગુરુવાયૂરમાં ભગવાનના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓને નજીકના અનાકોટ્ટા નામક સ્થાન પર જવુ પડે છે. આ જગ્યા હાથીઓને લઇને ઘણી લોકપ્રિય છે. ગુરૂવાયૂર મંદિર સાથે જોડાયેલ હાથીઓને અહીંના 10 એકર જગ્યામાં રાખવામાં આવે છે. અહીં લગભગ 80 જેટલા હાથીઓના રહેવાની વ્યવસ્થા છે.