ગુરુગ્રામમાં એક એવો કેસ સામે આવ્યો છે જે જાણીને ચોંકી જશો. જ્યાં 8 એકડ જમીનના 400 કરોડના વળતર માટે 'ચરણજીત સિંહ'નામના 13 દાવેદારોએ દાવો કર્યો છે. વાસ્તવમાં, ગુરુગ્રામમાં ખેડકી ડોલા પાસે દિલ્હી-જયપુર હાઇવે સાથે જોડેયેલી 8 એકડ જમીનને 2013માં એનએચઆઇ અને પ્રદેશ સરકારે અધિગૃહણ કર્યું હતું.
2013માં આ જમીનનું વળતર આશરે 44 કરોડ રૂપિયા થતું હતું જે આજે વ્યાજ લાગ્યા બાદ 400 કરોડ પહોંચી ગયું. સ્ટોરી આ 400 કરોડની વળતર મેળવવાની છે. એના માટે શરૂઆતમાં 7 અલગ અલગ ચરણજીત નામના લોકોએ આવું કહીને દાવો કર્યો છે કે તેઓ આ જમીનના માલિક છે અને આટલું જ નહીં તમામે પોતાના પિતા અને મા નું નામ દેખાડ્યું છે અને કેટલાક લોકોએ વંશાવલી પણ રજૂ કરી.
એક બાદ એક 7 ચરણજીત સિંહના દાવા બાદ, વાસ્તવમાં ચરણજીત પોતાની ઓળખ સાબિત કરવા માટે કોર્ટ પહોંચી ગયો. આ કેસ જેની સુનવણી 7 જુલાઇએ થવાની છે. પરંતુ આ વચ્ચે 6 ચરણજીત સિંહ કહાનીમાં બીજા જોડાઇ ગયા છે, જેમનો પણ એવો દાવો છે કે એ સાચા ચરણજીત સિંહ છે અને વળતરના સાચા હકદાર પણ છે.
8 એકડ જમીન, 400 કરોડનું વળતર અને 14 લોકો તરફથી ચરણજીત સિંહ હોવાના દાવા માટે જ્યારે એક આરટીઆઇ એક્ટિવિસ્ટને ખબર પડી કે એમને એની ફરિયાદ સીએમ વિન્ડો પર કરી. ત્યારબાદ ગુરુગ્રામ પોલીસે તમામ 13 ચરણજીત સિંહની વિકુદ્ધ કેસ દાખલ કરી દીધો છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ રમેશ કુમારનું કહેવું છે કે આ બધાથી અલગ એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીના રહેવાસી ચરણજીત સિંહે 1980માં આ જમીન ખરીદી હતી પરંતુ 1984ના તોફાનમાં એમનું મોત થઇ ગયું ત્યારબાદ એમનો પૂરો પરિવાર વિદેશ જઇને રહેવા લાગ્યો.
હાલ 400 કરોડ રૂપિયા મેળવવાની લાલચમાં જોડાયેલા આ 13 ચરણજીત સિંહની વિરુદ્ધ પોલીસ હવે પોતાની રીતે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે તમામ 13 ચરણજીત સિંહની વિરુદ્ધ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. તપાસ બાદ એ સ્પષ્ટ થઇ શકશે કે આમાંથી સાચો ચરણજીત સિંહ કોણ છે કે બધા નકલી છે.