દિલ્હી-એનસીઆર અને નોર્થ ઇન્ડિયાના કેટલાક ભાગોમાં વધતા વાયુ પ્રદુષણને કારણે વડાપ્રધાનનું કાર્યાલય પણ હરકતમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવ પી કે મિશ્રાએ આજે પ્રદુષણની સ્થિતિ પર દિલ્હી, પંજાબ, હરિયાણાના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી.
દિલ્હી-એનસીઆરમાં રવિવારે થયેલ વરસાદ બાદ પણ લોકોને પ્રદુષણથી કોઇ રાહત નથી
4 અને 5 નવેમ્બરે દિલ્હી-એનસીઆરના તમામ સ્કૂલ બંધ રહેશે
દિલ્હી, નોઇડા, ગુડગાવ અને ફરીદાબાદમાં પણ સ્કૂલો બંધ રહેશે
આ રાજ્યોના અધિકારી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાયા. કેબિનેટ સેક્રેટરી પણ પ્રદુષણની સ્થિતિ પર સતત નજર રાખશે. સાથે જ પંજાબ, હરિયાણા અને દિલ્હીના મુખ્ય સચિવોને રોજ પોત-પોતાના રાજ્યોના જિલ્લામાં પ્રદુષણની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવા માટે પણ કહેવાયું છે.
Principal secretary to Prime Minister, Cabinet Secretary to hold meeting on air pollution in Delhi, NCR
ત્યારે દિલ્હીસ નોઇડા બાદ હવે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પમ સ્કૂલ બંધ રહેશે. નોઇડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં 4થી 5 નવેમ્બરે સ્કૂલ બંધ રહેશે. નોધનીય છે કે, આ પહેલા દિલ્હી સરકારે તમામ સ્કૂલોને 5 નવેમ્બર સુઘી બંધ રાખવાનો આદેશ જાહેર કર્યો હતો. ત્યારે દિલ્હી બાદ નોઇડામાં પણ સ્કૂલ બંધ કરવાનો આદેશ જાહેર કરાયો અને હવે ગુડગાવ અને ફરીદાબાદમાં પણ 4થી 5 નવેમ્બર સુધી સ્કૂલ બંધ રહેશે.
દિવાળી બાદથી જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદુષણને કારણે એયર ક્વોલિટી ખુબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી ગઇ છે. આ ખરાબ સ્થિતિને જોતા શિક્ષણ વિભાગે 2 દિવસો માટે ગુરુગ્રામ અને ફરીદાબાદમાં સ્કૂલ બંધ કરવાનો આદેશ તંત્રને આપ્યો છે.
દિલ્હી-એનસીઆરમાં રવિવારે સવારે થયેલ વરસાદ બાદથી લોકોને પ્રદુષણથી કોઇ રાહત નથી મળી. દિલ્હીવાસીઓ માટે રવિવાર સવારે પણ એયર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડાઓ ચિંતાઓ વધારનારા છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં પ્રદુષણનુ સ્તર વધતુ જઇ રહ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 1200ના સ્તરને પણ પાર કરી ગયો છે.