TVના ફેમસ શો તારક મહેતા...માં 2020ના વર્ષમાં ઘણા બદલાવ થયાં હતા. કેટલાક કલાકારોએ શોમાંથી એક્ઝિટ લીધી તો કેટલાક નવા સિતારા શોમાં જોડાયા હતા. હવે આ કલાકાર શોમાં પરત આવશે.
ગુરુચરણ સિંહ શોમાં પરત ફરે તેવી શક્યતા
TMKOC શોમાં પરત ફરશે જુના કલાકાર
2020માં શોમાંથી લીધી હતી વિદાય
2020માં લીધી હતી એક્ઝિટ
ગુરુચરણ સિંહ કે જેને બધા રોશનસિંહ સોઢીના નામે ઓળખે છે, તેણે 2020માં અચાનક શોમાંથી એક્ઝિટ લઇ લીધી હતી. હવે તેણે પોતે જ લોકપ્રિય શો TMKOCમાં પરત ફરવાના એંધાણ આપ્યા છે.
રોશન સિંહ સોઢીના પાત્રમાં ગુરુચરણ
તારક મહેતા...માં રોશન સિંહ સોઢીનું પાત્ર ગુરુચરણ સિંહ ભજવે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ગુરુચરણે કહ્યું કે, તે સમયે મારા પિતાજીની સર્જરી થઇ હતી સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ હતી કે જેના પર મારે અટેન્સન આપવાનું હતું. ભગવાનની મરજી હશે તો હું શોમાં જરૂર પરત ફરીશ પરંતુ અત્યારે એવું કંઇ ખાસ છે નહી.
માથે ચડ્યું હતું કરજ
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હંમેશા પાર્ટી માટે તૈયાર રહેતા અને પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરનારા રોશન સિંહ સોઢીનું અસલી નામ ગુરૂચરણ સિંહ છે. ગુરૂચરણ સિંહ પોતાના બિન્દાસ્ત અંદાજથી શોને વધુ પ્રસિદ્ધી તરફ લઇ ગયા છે. આજે ભલે તેઓ આ શોનો ભાગ નથી. પરંતુ જ્યારે પણ રોશન સિંહ સોઢીની વાત આવે છે ત્યારે સૌપ્રથમ ગુરૂચરણ સિંહનો ચહેરો સામે આવે છે. જીવનમાં આટલી સિદ્ધી પ્રાપ્ત કર્યા પહેલાં ગુરૂચરણ સિંહ મુશ્કેલીમાં ફસાયા હતા. તેમણે મજબુરીમાં મુંબઈ આવવુ પડ્યુ હતુ
ક્યારેક રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરૂચરણ સિંહે તાજેતરમાં પોતાના એક લાઈવ વીડિયોમાં જણાવ્યું હતુ કે તેમણે એવા સમયે મુંબઈની ધરતી પર પગ મુક્યો હતો. જ્યારે તેમના માથા પર દેવુ ચઢી ગયુ હતુ. લોકો પૈસા માંગવા માટે તેમની પાછળ પડ્યા હતા. ગુરૂચરણ સિંહને ગમે ત્યાંથી આશા મળી ત્યારે તેઓ મુંબઈ ગયા અને છ મહિનાની અંદર તેમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રોલ મળ્યો.