બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:32 PM, 18 January 2025
સોની સબ ટીવીની લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી લોકોના દિલ પર રાજ કરી રહી છે. તેમાં કામ કરતા મોટાભાગના કલાકારો તેમના શોના નામથી જ ઓળખાય છે. આ દિવસોમાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવતા અભિનેતા ગુરુચરણ સિંહ ચર્ચામાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તેમની તબિયત ખરાબ થઈ હોવાથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે, તેઓ આર્થિક સંકટમાં છે. વધુમાં કહ્યું કે, 'તમે બધા મારી આર્થિક સ્થિતિ સમજો છો. મારા માથે ઘણું દેવું છે, જે મારે ચૂકવવાનું છે.'
અભિનેતાની હાલત જોઈને ફેન્સ ખૂબ જ દુખી છે. તેની પોસ્ટની કોમેન્ટમાં ફેન્સ તેને હિંમત આપતા જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, એક્ટર ગુરુચરણે પિતાની ખરાબ તબિયતને કારણે તારક મહેત કા ઉલ્ટા ચશ્મા શો છોડી દીધો હતો.
ટીવી એક્ટર ગુરચરણ સિંહને શરીરમાં નબળાઈના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ તે દિવસે એટલા સુધી કહ્યું હતું કે, આ ટેનો હવે દુનિયામાં અંતિમ દિવસ છે. જો કે, હવે તેની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ અભિનેતાના માથા પર હજુ પણ લાખો અને કરોડોનું દેવું છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.