દિવાળી બાદ એટલે કે 19 નવેમ્બરના દિવસે ગુરુવારે સવારે 10.40 મિનિટે દેવગુરુ બૃહસ્પતિ સ્વાભાવિક ગોટરીય સંક્રમણથી મૂળ ત્રિકોણમ ધનથી શનિદેવની મકર રાશિમાં ગોચરિય સંક્રમણ શરૂ કરશે. દેવગુરુ એક રાશિમાં 13 મહિના સુધી એટલે કે 5 એપ્રિલ 2021 સુધી વક્રી અને માર્ગી ગતિ સાથે રહેશે. આ સમયે અનેક રાશિને ફાયદો થઈ શકે છે અને સાથે જ જાણો કયા ખાસ ઉપાયોથી લાભ થશે.
19 નવેમ્બરથી ગુરુ કરશે રાશિ પરિવર્તન
આ 2 રાશિ સિવાયના જાતકો માટે રહેશે લાભદાયી
દરેક રાશિના જાતકોએ ધનલાભ માટે કરી લેવા આ ખાસ ઉપાયો પણ
મેષ
દશમસ્થ થવાથી કાર્યોમાં સફળતા, વાહન સુખમાં વધારો, ધનલાભની સાથે ખર્ચમાં વધારો, કુટુંબમાં વિવાદ તથા માતૃસુખ અને આંતરિક શત્રુ અને રોગને માટેની સાવધાની રાખો.
માનસિક ચિંતા સમાપ્ત થશે. પરાક્રમ અને સન્માનમાં વદારો થશે, ભાગ્યનો સાથ મળશે, સંતાન સાથે શુભ સમાચાર અને બુદ્ધિનું સાર્થક પ્રયોગ તથા રાજકીય અને સામાજિક વિસ્તારોમાં વધારો થશે. શત્રુ પક્ષ નબળો બનતાં લાભ થશે.
ઉપાય - ગંગા સ્નાન આ સમયમાં કરો. કોઈ ખોટા વાયદા ન કરો.
મિથુન
ઘર અને વાહન સુખમાં વૃદ્ધિ, માતાના સહયોગનું સાનિદ્ય. ધનમાં વધારો, યાત્રા કે ખર્ચમાં વધારો, આંખોની સમસ્યામાં વધારો, પગમાં દર્દ, પેશાબ અને કિડનીની સમસ્યામાં વધારો થઈ શકે છે. પ્રેમસંબંધોમાં શિથિલતા આવે છે.
ઉપાય- શ્મશાન કે ધાર્મિક સ્થળોએ પીપળાનું ઝાડ લગાવો અને ખોટું ન બોલો.
કર્ક
ભાગીદારીના કામમાં ચિંતા રહેશે. દામ્પત્ય સંબંધોમાં વિવાદ રહેશે. આવક અને લાભના સાધનોમાં વધારો થશે. વેપારમાં વધારો થઈ શકે છે. ભાગ્યમાં અવરોધની સ્થિતિ આવી શકે છે. રાજનૈતિક પ્રભાવમાં વધારો થઈ શકે છે.
ઉપાય- વ્યસનનો નાશ કરો
સિંહ
આંતરિક શત્રુઓ પર વિજય મળી શકે છે અને સાથે ઉધારમાં પણ રાહત મળશે, પરિશ્રમમાં વધારો થશે અને સન્માનમાં વૃદ્ધિ થશે. પગ અને પેટની સમસ્યા કે ઈન્ફેક્શનમાં વધારો થવાથી ચિંતા વધશે. ધન સંબંધી નવી સ્થિતિ સર્જાશે.
ઉપાય - ગુરુવારે દક્ષિણની યાત્રા ન કરવી અને લીમડાનું વૃક્ષ રોપવું.
કન્યા
સ્વાસ્થ્ય અને મનોબળમાં વધારો થાય, અધ્યાત્મ, તાર્કિકતા અને ધાર્મિક કાર્યોમાં રૂચિ વધે. લાભ કે આવકના સાધનોમાં પરિવર્તન આવે અને ભાગ્યનો સાથ મળે. ભાઈઓનો સહયોગ મળી રહેશે.
ઉપાય- સાધુ અને વૃદ્ધોની સેવા કરવી અને પીપળાનું ઝાડ વાવવું.
વૃશ્વિક
આવકના સાધનો અને ધનલાભમાં વધારો થશે પરંતુ ધનસંગ્રહમાં સાવધાન રહો. ઉન્નતિના અવસર બનશે અને કરેલા કામમાં સફળતા મળશે. માતા પિતા અને ભાઈ બંધુઓનો સહયોગ મળશે. વિદ્યા ક્ષેત્રમાં પરિવર્તન અને અવરોધ આવી શકે છે.
ઘર અને વાહન સુખની સાથે માતૃત્વ સુખમાં વધારો થઈ શકે છે. યાત્રાને લઈને ખર્ચ થઈ શકે છે. ઘરથી દૂર જઈનવે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો તે લાભદાયી રહેશે. વાણી પર સંયમ રાખો અને પેટની સમસ્યાને લીને ખર્ચ વધી શકે છે.
ઉપાય - રોજ ગાયને રોટલી ખવડાવો.
મીન
આવક અને લાભની પ્રકૃતિમાં પરિવર્તન આવશે. વ્યાપારમાં વૃ્દ્ધિ કે પરિવર્તન આવી શકે છે. દામ્પત્ય સુખમાં વધારો થશે અને ભાગીદારીમાં લાભ શક્ય છે. અભ્યાસ સાથે જોડાયેલાને લાભ મળશે, સંતાનની પ્રગતિના સમાચાર મળી શકે છે.