Guru Rahu Yuti: મેષ રાશિમાં બૃહસ્પતિની રાહુની સાથે યુતિ બની ગઈ છે અને તે શનિના પ્રભાવમાં રહેશે. જ્યોતિષોની માનીએ તો મેષ રાશિમાં દેવ ગુરૂ બૃહસ્પતિ અને રાહુની યુતિ આખા 36 વર્ષ બાદ બની રહી છે. ગુરૂ-રાહુની આ યુતિ મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકો માટે ફાયદાકારક બની શકે છે.
બૃહસ્પતિની રાહુની સાથે બની ગઈ છે યુતિ
36 વર્ષ બાદ બની રહી છે આ યુતિ
આ યુતિના કારણે જાણો કોને કોને થશે લાભ
ધન અને સૌભાગ્યના કારક બૃહસ્પતિ ગ્રહે 22 એપ્રિલે મીનથી મેષ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. બૃહસ્પતિનું આ રાશિ પરિવર્તન મધ્યમ ફળદાયી માનવામાં આવી રહ્યું છે. મેષ રાશિમાં બૃહસ્પતિની રાહુની સાથે યુતિ બની ગઈ છે અને તે શનિના પ્રભાવમાં રહેશે. જ્યોતિષોની માનીએ તો મેષ રાશિમાં દેવ ગુરૂ બૃહસ્પતિ અને રાહુની યુતિ આખા 36 વર્ષ બાદ બની રહી છે. ગુરૂ-રાહુની આ યુતિ મેષ, મિથુન, સિંહ, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકો માટે ફાયદાકારક બની શકે છે.
મેષ
મેષ રાશિના લગ્ન ભાવમાં ગુરૂ-રાહુની યુતિ બની રહી છે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. કરિયરમાં મોટા પરિવર્તન આપશે. સંતાન અને વિવાહના મામલામાં તેજી આવશે. નિયમિત રીતે ધર્મસ્થઆન પર જતા રહો.
વૃષભ
વૃષભ રાશિના લોકો સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો. કેસ, કારાવાસ અને અપયશથી બચો. સંતાન પક્ષ અને વૈવાહિક જીવનનું ધ્યાન રાખો. નિયમિત રીતે બૃહસ્પતિ મંત્રનો જાપ કરો.
કર્ક
કર્ક રાશિના લોકો માટે કરિયરમાં મોટા પરિવર્તનનો સમય રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચડાવ રહી શકે છે. સંતાન અને વિવાહના કેસમાં મોડુ થઈ શકે છે. ગુરૂ મંત્રનો જાપ કરો અથવા શિવજીની ઉપાસના કરો.
સિંહ
સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં સતત સુધાર થશે. સંતાન પક્ષની ખાસ ઉન્નતિ થશે. આ સમયે વિવાહ અને સંતાનના કેસમાં તેજી આવશે. નિયમિત રીતે હળદળ મિક્ષ કરી સૂર્ય દેવને અર્પિત કરો.
કન્યા
કન્યા રાશિ વાળા સ્વાસ્થ્યની સમસ્યાઓનું ખાસ ધ્યાન રાખો. પેટની સમસ્યા અને અપયશથી બચો. વૈવાહિક અને પારિવારિક જીવનનું ધ્યાન રાખો. નિત્ય પ્રાતઃ બૃહસ્પતિ મંત્રનો જાપ કરો.
તુલા
તુલા રાશિના લોકોના જીવનની અડચણ દૂર થઈ જશે. વિવાહના મામલામાં તેજી આવશે. મોટા નિર્ણયોમાં થોડી સાવધાની રાખો. નિયમિત રીતે ધર્મસ્થાન પર જતા રહો.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં મોટી સમસ્યા આવી શકે છે. સંતાન અને કરિયરના કેસમાં મુશ્કેલી આવી શકે છે. દૂર સ્થાનથી થોડો લાભ થઈ શકે છે. ગુરૂ મંત્રનો જાપ કરો. અથવા શિવજીની ઉપાસના કરો.
ધન
ધન રાશિના લોકોના સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં સુધાર થશે. કરિયર અને આર્થિક સ્થિતિ સારી રહેશે. સંતાન અને પારિવારિક મામલામાં ઉન્નતિ થશે. નિયમિત રીતે હળદર મિક્સ કરેલું જળ સૂર્ય દેવને અર્પિત કરો.
મકર
સ્થાન પરિવર્તન અને સ્વાસ્થ્યમાં સમસ્યાના યોગ છે. માતાને લઈને થોડુ કષ્ટ થઈ શકે છે. સંપત્તિ સમ્બન્ધી કાર્યોમાં સાવધાની રાખો. નિયમિત બૃહસ્પતિ મંત્રનો જાપ કરો.
કુંભ
વિવાહ અને સંતાનના કેસમાં તેજી આવશે. કરિયર અને શિક્ષા પ્રતિયોગિતામાં લાભ થશે. સ્વાસ્થ્ય પર થોડુ ધ્યાન બનાવી રાખવું જરૂરી છે. નિયમિત રીતે ધર્મસ્થાન પર જતા રહો.
મીન
તમને ધન, શિક્ષા અને વાણીના મામલામાં લાભ થશે. કરિયરના મામલામાં સફળતા મળશે. ધર્મ અને આધ્યાત્મની તરફ શ્રદ્ધા વધશે. નિયમિત રીતા પૂજા ઉપાસના કરો. અહંકારથી બચો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)