જ્યોતિષશાસ્ત્ર અનુસાર આકાશમાં કુલ 27 નક્ષત્ર હોય છે અને તેમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે.
પુષ્ય નક્ષત્ર ખરીદી માટે શુભ
પંચાંગ જોયા વગર કરી શકો છો શુભ કામ
ગુરુપુષ્ય યોગમાં ખરીદો ઘર-ગાડી-આભૂષણ
પુષ્ય નક્ષત્રને બધા જ નક્ષત્રનો રાજા માનવામાં આવે છે. આ નક્ષત્ર એટલુ શુભ છે કે તે દિવસે વગર પંચાંગ જોયે તમે કોઇ પણ કાર્ય આખા દિવસ માટે કરી શકો છો. જ્યારે પણ આ યોગ ગુરુવારે બને છે ત્યારે તેને ગુરુપુષ્યયોગ કહેવામાં આવે છે. 25 ફેબ્રુઆરીના રોજ ગુરુપુષ્ય યોગ બને છે અને આ દિવસ પુજા પાઠ સિવાય ખરીદી માટે પણ શુભ છે.
ઘર-વાહન ખરીદવા માટે શુભ
25 ફેબ્રુઆરીના રોજ ગુરુપુષ્યયોગ આવે છે અને તે દિવસે શુક્લ પક્ષની ત્રયોદશી રહેશે જે બાદ ચતુર્દશી લાગી જશે. આ દિવસે ચંદ્ર પોતાની જ રાશી કર્કમાં રહેશે જેનાથી આ દિવસની શુભતા વધી જશે. ગુરુવાર ભગવાન વિષ્ણુનો દિવસ છે અને આ દિવસે પુષ્ય નક્ષત્રનું હોવું તે ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ ખરીદીએ તો તેનું ફળ ખુબ જ શુભ આવે છે.
ભગવાન વિષ્ણુની સાથે કરો માતા લક્ષ્મીની પૂજા
ગુરુપુષ્યયોગના દિવસે વિષ્ણુ ભગવાન સિવાય માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઇએ. જેનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને સાધક તરક્કીના રસ્તે વળે છે. તમને જણાવી દઇએ કે 25 ફેબ્રુઆરી પહેલા આ યોગ 28 જાન્યુઆરી 2021ના રોજ બન્યો હતો. હવે આ યોગ સીધો 28 ઓક્ટોબરે અને 25 નવેમ્બરે જ બનશે.