જુલાઈનો મહિનો જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. આ મહિને 2 ગ્રહણ લાગી રહ્યા છે. મહિનાના પહેલા અઠવાડિયામાં સારા શુભ સંયોગ બની રહ્યા છે.
સૌથી સારો સંયોગ 4 જુલાઈના રોજ ગુરુવારે બની રહ્યો છે.આ દિવસે ગુરુ અને પુષ્ય નક્ષત્રના સંયોગથી દુર્લભ ગુરુ પુષ્ય યોગ બની રહ્યા છે. વળી, આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પણ દિવસ છે.
2019નો ગુરુ પુષ્પનો યોગ:
પહેલો ગુરુ પુષ્ય યોગ 6 જૂનના રોજ હતો. 4 જુલાઈએ બીજો અને છેલ્લો ગુરુ પુષ્ય યોગ 1 ઓગસ્ટના રોજ છે. આ યોગ દીવાળી અને અખાત્રીજ જેટલો શુભ ફળ આપનારો માનવામાં આવલે છે. આજે અમૃત સિદ્ઘિ યોગ અને સર્વાર્થ સિદ્ઘ યોગ હોવાથી આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. આજનો દિવસ કોઇપણ શુભકામ કરવા માટે સારો માનવામાં આવે છે.
આ દિવસે કરો આ શુભકામ:
જે લોકો વાહન, સોનુ, મકાન કે જમીન ખરીદવા માંગે છે તેમના માટે 4 જુલાઇ એટલે કે આજનો દિવસ શુભ કામ કરવા માટે ઉત્તમ માનવામાં આવે ચે. લાંબા સમયમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આજનો દિવસ શુભ ગણાય છે. જે લોકો નવુ કામ શરૂ કરવા માંગે છે, બિઝનેસ વધારવા માંગે છે તે પમ આ શુભ મૂહુર્તનો લાભ ઉઠાવી શકે છે.
આજે ના કરો આ કામ:
ગુરુ પુષ્ય યોગને વિવાહ માટે વર્જિત માનવામાં આવે છે. તેની પાછળ એવી માન્યતા છે કે, બ્રહ્માજીએ પોતાની પુત્રી સરસ્વતીનો વિવાહ પુષ્પ નક્ષત્રમાં કરવા માંગતા હતા પરંતુ પોતાની પુત્રીના સૌંદર્ય પર તે પોતે મોહિત થઇ ગયા હતા. બ્રહ્માજીએ પુષ્ય નક્ષત્રને પોતાના ખોટા વિચારો માટે દોષી ઠેરવ્યુ હતુ. આથી આ દિવસે વિવાહ જેવુ શુભ કામ થતુ નથી.