ભારતમાં ગુરુને મહાન દરજ્જો આપવામાં આવ્યો છે. અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમાના રૂપમાં મનાવવામાં આવે છે. આ પૂર્ણિમાએ ગુરુની પૂજાનું મહત્વ હોય છે. ગુરુ પૂર્ણિમાને ભારતના દરેક વિસ્તારમાં ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. એવી માન્યતા છે કે એ દિવસે મહર્ષિ વેદ વ્યાસની પૂજા કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં વેદ વ્યાસને આદિગુરુ કહીની સંબોધવામાં આવે છે. પ્રાચિન કાળમાં જ્યારે છાત્ર ગુરુના આશ્રમમાં રહીને ગુરુ પુર્ણિમાના દિવસે ગુરુની પૂજા અને આરાધના કરીને પોતાના સામર્થ્ય અને ઈચ્છા અનુસાર દક્ષિણા આપીને તેમના પ્રતિ પોતાની શ્રદ્ધાભાવને પ્રગટ કરે છે. ગુરુ પૂર્ણિમાએ વેદ વ્યાસ ઉપરાંત લોકો પોતાના ગુરુની પૂજા કરે છે.
જેમ કે તેમને શિક્ષા આપનારા શિક્ષકો માતા-પિતા અને ભાઈ-બહેન. ગુરુ પૂર્ણિમાની સવારે વહેલા ઉઠીને ઘરની સફાઈ કરીને અને સ્નાન કરીને સાફ સુથરા કપડા પહેરવા. ત્યાર બાદ ગુરુને વસ્ત્ર ફળ-ફૂલ માળા અને દક્ષિણા અર્પિત કરીને તેમના આશિર્વાદ લેવા જોઈએ. આવુ કર્યા બાદ આ મંત્ર 'ગુરુપરંપરાસિદ્ધયર્થે વ્યાસપૂજા કરિષ્યે.....' નો જાપ કરીને પૂજનનો સંકલ્પ લો.