દેવગુરૂ બૃહસ્પતિનો મેષ રાશિમાં પ્રવેશ અનેક રાશિના જાતકો માટે લાભદાયી સિદ્ધ થઇ શકે છે. જાણો ગુરૂ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે.
મંગળની રાશિ મેષમાં ગુરૂનો 12 વર્ષ બાદ ગોચર
જાણો, ગુરૂ ગોચરથી કઈ રાશિના જાતકોને લાભ થશે
રાશિ પરિવર્તનનો બધી 12 રાશિઓ પર પ્રભાવ પડે છે
દેવગુરૂ બૃહસ્પતિનો ગોચર મેષ રાશિમાં 12 વર્ષ બાદ થઇ રહ્યો છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, મંગળ ગ્રહના રાશિ પરિવર્તનનો બધી 12 રાશિઓ પર પ્રભાવ પડે છે. 22 એપ્રિલે ગુરૂ મીન રાશિમાંથી નિકળીને મંગળ ગ્રહની રાશિ મેષમાં પ્રવેશ કરશે. દેવગુરૂ બૃહસ્પતિનો ગોચર મેષ રાશિમાં 12 વર્ષ બાદ થઇ રહ્યો છે. તેથી મેષ રાશિમાં ગુરૂ ગ્રહ ગોચર ખૂબ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે. ગુરૂ ગોચરથી કેટલીક રાશિના જાતકોને કારકિર્દીની સાથે આકસ્મિક ધન લાભ થવાના યોગ બનશે. જાણો ગુરૂ ગોચરની લકી રાશિઓ.
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરૂ ગ્રહનો ગોચર મેષ રાશિમાં થઇ રહ્યો છે. તેથી ગુરૂ ગ્રહનો સૌથી વધારે શુભ પ્રભાવ તમને જોવા મળશે. ગુરૂ તમારી રાશિના લગ્ન ભાવમાં પ્રવેશ કરશે. આ સમયગાળામાં તમારી કાર્યસ્થળ પર પ્રશંસા થઇ શકે છે. નોકરિયાત વર્ગને નોકરી માટે નવી તક મળશે.
કર્ક રાશિ
ગુરૂ ગોચર તમારી રાશિના કર્મ ભાવમાં હશે. જેને કાર્યક્ષેત્ર અથવા નોકરીનો ભાવ માનવામાં આવ્યો છે. ગુરૂ ગોચર કાળમાં રોજગારની તપાસ કરનારા જાતકોને સારા સમાચાર મળી શકે છે. આર્થિક મોરચે લાભ થશે. વેપારીઓને મન મુજબ લાભ થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે ગુરૂ રાશિ પરિવર્તન ખૂબ લાભદાયી રહેવાનુ છે. ગુરૂ ગોચર તમારી રાશિના બીજા ભાવમાં થઇ રહ્યું છે. જેને ધન અથવા વાણીનો ભાવ કહેવામાં આવ્યો છે. ગુરૂ ગોચર કાળમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા જાતકોને શુભ સમાચાર મળશે. રોકાયેલા પૈસા પાછા આવવાનુ શક્ય બનશે.