Guru Chandal Yoga 2023 Zodiac Effects: આ વર્ષે 22 એપ્રિલથી મેષ રાશિમાં ગુરૂ ચાંડાલ યોગ બની રહ્યો છે. મેષ રાશિમાં ગુરૂ અને રાહુની યુતિથી ગુરૂ ચાંડાલ યોગ બની રહ્યો છે. જે આવતા 6 મહિના સુધી ચાલશે.
30 ઓક્ટોબરે રાહુ કરશે મીન રાશિમાં ગોચર
મેષ રાશિમાં બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ
ગુરૂ ચાંડાલ યોગની આ રાશિ પર થશે અસર
આ વર્ષે 22 એપ્રિલથી મેષ રાશિમાં ગુરૂ ચાંડાલ યોગ બની રહ્યો છે. ત્યારે જ પાપ ગ્રહ રાહુ મેષ રાશિમાં છે અને 22 એપ્રિલે દેવ ગુરૂ બૃહસ્પતિ પણ મેષ રાશિમાં ગોચર કરશે. મેષ રાશિમાં ગુરૂ અને રાહુની યુતિથી ગુરૂ ચાંડાલ યોગ બનશે. જે આવનાર 6 મહિના સુધી રહેશે.
30 ઓક્ટોબરે રાહુ મેષ રાશિમાંથી નિકળીને મીન રાશિમાં ગોચર કરશે. ત્યારે મેષ રાશિમાં ગુરૂ અને રાહુની યુતિ ખતમ થઈ જશે અને ગુરૂ ચાંડાલ યોગ પણ સમાપ્ત થઈ જશે. 22 એપ્રિલથી 30 ઓક્ટોબર સુધી ગુરૂ ચાંડાલ યોગનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર થશે. પરંતુ 5 રાશિના જાતકોને ખાસ રીતે સાવધાન રહેવાની જરૂર છે.
ગુરૂ ચાંડાલ યોગ 2023 રાશિઓ પર પ્રભાવ
મેષ
તમારી રાશિમાં જ ગુરૂ ચાંડાલ યોગ બની રહ્યો છે. આ કારણે તમને આવનાર 6 મહિના સુધી આર્થિક સ્થિતિમાં, રોકાણ, સ્વાસ્થ્ય અને બિઝનેસને લઈને સતર્ક રહેવાની જરૂર છે. દુષ્ટ રાહુ ગ્રહના કારણે તમારા બિઝનેસમાં નુકસાન થઈ શકે છે અથવા રોકાણમાં નુકસાન થઈ શકે છે.
આ કારણે તમારે સંભાળીને રોકાણ કરવાની જરૂર છે. આ સમયે તમારૂ સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. કુલ મળીને તમારે સાવધાનીપૂર્વક ધનને ખર્ચ કરવું જોઈએ અને ખાવા-પિવા પર નિયંત્રણ રાખતા યોગ કરો.
મિથુન
તમારી રાશિના જાતકો માટે પણ ગુરૂ ચાંડાલ યોગ સતર્ક કરનાર છે. આવતા 6 મહિનામાં તમારે ધન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. બિઝનેસ અથવા રોકાણ સાથે જોડાયેલા નિર્ણયમાં ઉતાવળ કરવાથી ધનહાની થઈ શકે છે.
નોકરીયાત લોકોને પણ ધીરજથી કામ લેવું કારણ કે તમારા માટે ખરાબ સમય હોઈ શકે છે. તાત્કાલિક લાભની જગ્યા પર લાંબા સમયના પરિણામને વિચારીને નિર્ણય કરો તો સફળ રહશો. વાણી પર નિયંત્રણ રાખો જેથી વાદ-વિવાદની સ્થિતિથી બચી શકાય.
કન્યા
ગુરૂ ચાંડાલ યોગના કારણે આવનાર 6 મહિના કમારી આર્થિક સ્થિતિ કમજોર કરી શકે છે. ઓછી આવક અને નકામા ખર્ચના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. લોન લેવાની સ્થિતિ આવી શકે છે. આ સમયે કામ અટકવાથી મન દુખી થશે.
મકાન, વાહન અથવા કોઈ પણ અન્ય પ્રોપર્ટીની ખરીદીમાં સાવધાન રહેવાની જરૂર છે. પરિવાર સુખમાં મુશ્કેલી આવી શકે છે. કાર્યસ્થળ અને ઘરમાં વાદ વિવાદની સ્થિતિથી મન અશાંત થઈ શકે છે. સ્ટ્રેસથી બચવા માટે યોગ અથવા પ્રાણાયામ કરો.
ધન
તમારી રાશિના જાતકો માટે ગુરૂ ચાંડાલ યોગ નકારાત્મક ફળ આપનાર સાબિત થઈ શકે છે. નોકરીયાત લોકોને પોતાના બોસ સાથે ટ્યુનિંગ વધાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયમાં તમે પોતાના કામ પર ધ્યાન આપો તો સારૂ રહેશે.
બિઝનેસ કરનાર જાતકોને હાની થવાની સંભાવના છે. આ સમયમાં તમે મોટા રોકાણથી બચો. આ સમયમાં આર્થિક સ્થિતિ બગડી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. નહીં તો દુર્ઘટના થઈ શકે છે.