નવગ્રહોમાં જો ગુરુ નબળો હશે તો વ્યક્તિને ધન અને વિદ્યાની પ્રાપ્તિમાં બાધા આવી શકે છે. જાણો રાહત મેળવવાના ઉપાયો.
બૃહસ્પતિનો અશુભ પ્રભાવ
વિદ્યા અને ધન પ્રાપ્તિમાં લાવી શકે છે બાધા
જાણો દૂર કરવાના ઉપાયો
નવગ્રહોમાં બૃહસ્પતિ સૌથી વધારે શુભ અને પવિત્ર હોય છે. માત્ર કુંડળીમાં તેના શુભ હોવાના કારણે વ્યક્તિ પર ઈશ્વરની કૃપા બની રહે છે. આ સંતાન, ઘન અને વિવાહના કિસ્સાને ઉત્તમ કરે છે. તેની દૃષ્ટિ ગંગાજળની જેમ પવિત્ર હોય છે. આ દૃષ્ટિથી જે ગ્રહ અને જેની પર પ્રભાવ પડે છે તેના અશુભ પ્રભાવ ખતમ થઈ જાય છે.
ગુરુના અશુભ પ્રભાવથી થાય છે આવું
બૃહસ્પતિના નબળા હોવાના કારણે વ્યક્તિના સંસ્કાર નબળા થાય છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિમાં પણ બાધા આવે છે અને સાથે વ્યક્તિને મોટા સહયોગ મેળવવામાં મુશ્કેલી આવે છે. વ્યક્તિનું પાચનતંત્ર નબળું બને છે. કેન્સર અને લિવરની અનેક સમસ્યાઓ ગંભીર બૃહસ્પતિના કારણે થાય છે. સંતાનની સમસ્યાઓ પણ પરેશાન કરી શકે છે. બૃહસ્પતિનો સંબંધ વિવાહ ભાવથી બને તો વિવાહ અસંભવ બને છે. શનિની અશુભ સ્થિતિ સાથે વ્યક્તિની સમસ્યાઓનું નિવારણ થઈ શકે પણ બૃહસ્પતિની ખરાબ અસરનું નિવારણ મુશ્કેલ બને છે.
બૃહસ્પતિની ખરાબ અસરને દૂર કરવાના ઉપાયો
બૃહસ્પતિનો અશુભ પ્રભાવ દૂર કરવાનો અચૂક ઉપાય છે કે રોજ સવારે શિવલિંગ પર જળ અર્પણ કરો. સામાન્ય સ્થિતિમાં પ્રાતઃ અને સાંજે નમઃ શિવાયનો જાપ કરો. જો મારક સ્થિતિ બને તો મહામૃત્યુંજયનો જાપ કરો. આહાર, વ્યવહાર અને વિચારમાં સાત્વિકતા રાખો.