પંજાબ ચૂંટણી પહેલા જામીન પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમને Z+ સિક્યોરિટી આપવામાં આવી છે. હરિયાણા સરકારે ખાલિસ્તાનીઓથી જીવને ખતરો ગણાવીને તેમની સુરક્ષા આપી છે.
પંજાબ ચૂંટણી પહેલા રામ રહીમ બહાર આવ્યો
20 વર્ષની સજા ભોગવી રહ્યો છે રામ રહીમ
હરિયાણા સરકારે ઝેડ પ્લસ સિક્યોરિટી આપી
પંજાબ ચૂંટણી પહેલા જામીન પર બહાર આવેલા ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહિમને Z+ સિક્યોરિટી આપવામાં આવી છે. હરિયાણા સરકારે ખાલિસ્તાનીઓથી જીવને ખતરો ગણાવીને તેમની સુરક્ષા આપી છે. સરકારે સુરક્ષાનો આધાર એડીજીપીના રિપોર્ટને બનાવ્યો છે. સરકારે કહ્યું છે કે, ખાલિસ્તાન સમર્થક ડેરા પ્રમુખને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે તેમની સિક્યોરિટીમાં કડકાઈ વધારી છે.
ચૂંટણી પહેલા બહાર આવ્યો રામ રહિમ
રામ રહિમ પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા 21 દિવસના ફરલો પર બહાર આવ્યા છે. ચૂંટણીની ઠીક રહેલા મળેલી ફરલો પર વિપક્ષે કેટલાય સવાલો ઉભા કર્યા હતા અને હરિયાણા સરકારનો ઘેરાવ કર્યો હતો. હકીકતમાં જોઈએ તો, સિરાસ મુખ્યાલયવાળા ડેરા સચ્ચા સૌદાના ચૂંટણી રાજ્ય પંજાબ અને ઉત્તર પ્રદેશમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ છે. જો કે, સીએમ ખટ્ટરે કહ્યું હતું કે, રામ રહિમને મળેલી રાહત પંજાબ ચૂંટણી સાથે કંઈ લેવાદેવા નથી.
કોઈ પણ સમયે મોકો શોધી બહાર આવી જાય છે
ગત વર્ષે પણ ડેરા પ્રમુખને પોતાની બિમાર માતાને મળવા માટે સવારથી સાંજ સુધી ઈમરજન્સી જામીન મળ્યા હતા. તે સ્વાસ્થ્યના કારણોના હવાલો આપીને કોઈ પણ સમયે જેલમાંથી બહાર આવતો રહે છે. રામ રહીમ અત્યાર સુધી હરિયાણાના રોહતક જિલ્લાની સુનરિયા જેલમાં બંધ હતો.
બળાત્કારના કેસમાં 20 વર્ષની જેલની સજા
રામ રહિમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ સાથે બળાત્કારના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. રામ રહિમ પંચકૂલાની એક વિશેષ સીબીઆઈ કોર્ટે ઓગસ્ટ 2017માં દોષિ સાબિત ઠેરવ્યો હતો.
આટલા પ્રકારની સિક્યોરિટી
આપને જણાવી દઈએ કે, ભારતમાં X, Y, Y-Plus Z અને Z-Plus સિક્યોરિટી આપવામાં આવે છે. ઝેડ પ્લસ સિક્યોરિટી ભારતમાં સૌથી મોટી સિક્યોરિટી હોય છે, જે દેશના VVIP લોકોને જરૂર પ્રમાણે આપવામાં આવે છએ. આ ઉપરાંત દેશના પ્રધાનમંત્રી અને તેમના પરિવારને SPG સુરક્ષા મળે છે.