ઋુષિ કપૂર ફરહાન અખ્તર અનુપમ ખેર અને રવીના ટંડન સહિત અન્ય બોલિવુડ સ્ટાર ડેરા સાચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહના વિરૂદ્ધમાં કોર્ટના ચુકાદેની પ્રશંસા કરી. CBI જજ જેમાં જગદીપ સિંઘએ 50 વર્ષીય ગુરમીત રામ રહીમ 2002માં રેપ કેસમાં દોષી સાબિત થયા છે. તેમના પર બે મહિલા પર યૌન શોષણનો આરોપ લગાડવામાં આવ્યો હતો. પંજાબ અને હરિયાણામાં હિંસા થઇ હતી ત્યારે અત્યાર સુધીમાં કેટલાક લોકોના જીવ ગુમાવ્યો હતો અને કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા.ત્યારે આ મુદ્દાને લઇને બોલિવુડ સ્ટાર દ્વારા આવી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ઋષિ કપૂરએ આ ઘટના અંગે વિચાર આપતા કહ્યું કે ધોકેબાજ.....આ ઠગો પર લોકો અંધ વિશ્વાસ કરે છે. આવા લોકોને સરકાર દ્વારા સજા આપવામાં આવી જોઇએ. સુખવિંદર કૌર (રાધે માં) ગુરમીત આસારામ નિત્યાનંદ....આ બધા ગુનેગારો છે. '
જ્યારે ઋુષિએ Tweet કરતા કહ્યું 'બધી ડેરાની મિલકતને જપ્ત કરી દેવી જોઇએ જેથી દેશની મિલકતની ભરપાઇ થઇ શકે. ગુરમીતના ફોલોઅર્સને શરમ આવી જોઇએ. તમારા માટે કોઈ આદર નથી. '
રવિના ટંડનએ કહ્યું કે 'જે રીતે અનુયાયીઓ તેમની પ્રતિક્રિયાઓ અને રમખાણો કરી રહ્યા છે તે જ રીતે બધું જ સંપ્રદાય વિશે સ્પષ્ટ બની રહ્યું છે. આ ગુન્હોના શરમજનક કૃત્યો જોઇ દુઃખ થાય છે.'
સ્વરા ભાસ્કરએ કહ્યું કે "આજના નવા ભારતમાં પાગલ લોકો માટે કયા નિયમો લાગુ પડી શકે છે! સ્વરાએ તેની આગામી ટ્વિટમાં લખ્યું હતું કે "... અથવા આ સ્વામિયો અને સાધુઓને રેપ જેવી વસ્તુઓ ટાળવા જોઈએ?"
અનુપમ ખેરે ટ્વિટ કર્યું હતું 'એવું લાગે છે કે ગુરમીત રામ રહીમ સિંઘે તેમના અનુયાયીઓને હિંસા શીખવી છે. તે મૂર્ખ છે અને સરકારએ આ રોકવા માટે સંપૂર્ણ બળની જરૂર છે. "
ફરહાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે "જે લોકો તોડફોડ કરી રહ્યા છે અને જે તેમનો સાથ આપી રહ્યા છે કૃપા કરીને કલ્પના કરો કે બળાત્કારીઓના ટેકામાં હિંસા જોવાથી પીડિતાઓ શું અનુભવે છે."
અનુરાગ કશ્યપ લખે છે '2020 ખૂબ દૂર છે ... ભારતનો નકશો હવે બદલાઈ રહ્યો છે. નવી ભારત પર આપનું સ્વાગત છે.