રાજસ્થાનમાં ગુર્જર અનામત આંદોલનની ફેલાઈ રહેલી આગના પગલે સામાન્ય જનજીવન ફરીથી અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે પાંચ ટકા અનામતની માંગ પર સવાઈ માધોપુરમાં આંદોલન કરી રહેલા લોકોને મારી અપીલ છે કે તેઓ રેલ્વે ટ્રેક પર ન બેસે. તેમની માંગો પર સંવિધાનમાં સંશોધન બાદ જ વિચાર કરવામાં આવી શકે છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મેમો મોકલવો જોઈએ.
ત્રણ મંત્રીઓની સમિતિ કરશે સમાધાન
રાજ્યની કોંગ્રેસ સરકારે આંદોલનના નેતા કિરોડી સિંહ બેંસલાથી વાત કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ પણ બનાવી છે. જેમાં ચિકિત્સા મંત્રી રઘુ શર્મા પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને સમાજ કલ્યામંત્રી ભંવર લાલ મેઘવાલને શામેલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને પણ શામેલ કરવામાં આવ્યાં છે. સમિતિ આંદોલનકારીઓથી વાતચીત કરીને સમાધાન નીકાળવાની કોશિશ કરી રહી છે.
પરીક્ષાઓ સ્થગિત જનજીવન અસ્તવ્યસ્ત
રાજસ્થાનમાં કર્મચારી પસંદગી બોર્ડની રવિવારે થનારી પરીક્ષાઓ સ્થગિત કરી દેવાઈ છે. બોર્ડ તરફથી કૃષિ અને આંગણવાડી પર્યવેક્ષક માટે પરીક્ષાઓ થનારી હતી. પરીક્ષ રદ્દ કરવા માટે અનિવાર્ય કારણો હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ માનવામાં આવે છે કે પરીક્ષા આંદોલનને કારણે રદ્દ કરાઈ છે. કૃષિ પર્યવેક્ષકના 1832 પદો માટે અને આંગણવાડી પર્યવેક્ષકના 309 પદો માટે પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. કેટલાંય પરીક્ષાર્થી આંદોલનને ધ્યાનમાં રાખીને એક દિવસ પહેલાં શનિવારે થનારી પરીક્ષા માટે જુદાં જુદાં શહેરોમાં પહોંચી ગયા હતાં. આવામાં હવે તેમને પરત ફરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.