રાજકોટમાં ગુર્જર કડિયા સમાજનું સંમેલનનાં અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, OBC સમાજ સાથે 1947થી અન્યાય થતો આવ્યો છે. ગુજરાતમાં મતની ટકાવારીની દૃષ્ટિએ 54 ટકા OBCસમાજની વસતી.
પાટીદાર, કોળી,પછી ગુર્જર કડીયા સમાજ મેદાનમાં
રાજકોટમાં યોજાયું સમાજિક સંમેલન;ટીકીટ માટે માંગ
આગામી વિધાનસભામાં સાધુ સમાજ પણ માંગશે ટીકીટ
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજ પોતાની તાકાત દર્શાવવા એકત્રિત થાય છે.તો સમાજના નેતાઓ માટે આ સંમેલન શક્તિ પ્રદર્શન છે. દરેક સમાજ ચૂટણીમાં પોતાનું મહત્વ અને મહતા દર્શાવી રહ્યો છે. આ સમાજ પછી પાટીદાર હોય, કે કોળી સમાજ હોય કે પછી ગુર્જર કડીયા સમાજ. રાજકોટમાં યોજાયેલા ગુર્જર કડીયા સમાજનું એક સંમેલન મળ્યું હતું જેમાં ટંકાર કરવામાં આવ્યો છે કે આ વખતે પણ સાધુ સમાજ પણ ટિકિટ માંગશે. સામાજિક અગ્રણી નરેન્દ્ર સોલંકીના અધ્યક્ષ સ્થાને મળેલા આ સંમેલનમાં કડિયા સમાજ 5 ટીકીટ માટે પોતાની માંગણી કરશે.
OBC સમાજ 54 ટકા છતાં અન્યાય:નરેન્દ્ર બાપુ
રાજકોટમાં ગુર્જર કડિયા સમાજનું સંમેલનનાં અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, OBC સમાજ સાથે 1947થી અન્યાય થતો આવ્યો છે. ગુજરાતમાં મતની ટકાવારીની દૃષ્ટિએ 54 ટકા OBCસમાજની વસતી છે. રાજનીતિ એવી વસ્તુ છે કે, સમાજમાં જ સમાજના ભાગલા પાડી નાંખવામાં આવે છે. પાટીદારે મુખ્યમંત્રી માંગ્યા એમને પ્રતિનિધિત્વ મળ્યું અમે રાજી છીએ. પણ અમારો મુદ્દો એ છે કે, બાકીના સમાજને યોગ્ય રીતે પ્રતિનિધિત્વ મળવું જોઈએ. શ્રી સોલંકીએ ઉમેર્યું કે સૌરાષ્ટ્રની અંદર કડિયા સમાજને 5 ટિકિટની અમે રજૂઆત કરીશું. ઉપરાંત આ વખતે પણ સાધુ સમાજ ટિકિટ માંગ કરવામાં આવશે.
ચૂંટણી પહેલા સમાજનિતીની રાજનીતિ
ઉલ્લેખનીય છે કે,ચાર-પાંચ મહિના પહેલા ખોડલધામમાં પાટીદાર સમાજની બેઠક બાદ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ 'મુખ્યમંત્રી પાટીદાર' વોવા જોઈએની જે લાગણી અને માંગણી ઉઠી હતી. ત્યારબાદ જે રીતે ગુજરાતની રાજનીતિમાં પરિવર્તન થયા. દરમિયાન જાફરાબાદમાં કોળી સમાજનું પણ સંમેલન મળી ગયું છે. ઉત્તર ગુજરાતમાં OBC સમાજ પણ પોતાના સોગઠાં ગોઠવવાની તૈયારીમાં છે.આવા સંજોગોમાં, ગુર્જર કડીયા સમાજે પણ 'ખાંડા ખખડાવ્યા' છે. આમ પણ નવેમ્બર વિદાય થવાની તૈયારી છે ત્યારે,બરાબર 1 વર્ષ પછી ચુંટણી યોજાવાના વર્તારા વચ્ચે હવામાન બદલશે અને સાથે સમાજ્નીતિથી ગુજરાતની રાજનીતિનાં હવામાનમાં પણ બદલાવ દેખાશે