હરિયાણાના ગુરુગ્રામમાં જજના પત્ની અને દીકરાને જાહેર રોડ પર ગોળી મારીને હત્યા નીપજવાના મામલે પોલીસે આરોપી હત્યારાની ધરપકડ કરી છે. મહત્વની વાત છે કે હત્યારો બીજો કોઈ નહીં પણ ખુદ જજનો બોડીગાર્ડ જ છે.
બોડીગાર્ડે પોતે હત્યા બાદ જજને ફોન કરીને હત્યાની માહિતી આપી હતી. પોલીસે પણ શૂટઆઉટના બે કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે હાલ આરોપીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી હત્યારો મહિપાલ જજનો બોડીગાર્ડ હતો અને તેણે ફોન કરીને જણાવ્યું કે મેં તમારી પત્ની અને દીકરાને ગોળી મારી દીધી છે જાઓ અને તેને દેખો. આરોપી હેડ કોન્સ્ટેબલ મહિપાલે આર્કેડિયા માર્કેટમાં જજની પત્ની રિતુ અને 17 વર્ષીય દિકરા ધ્રુવને પોતાની સર્વિસ રિવોલ્વરથી ખૂબ જ નજીકથી ગોળી મારી હતી. હત્યારાએ રિતુને બે ગોળી મારી અને દીકારા ધ્રુવને 3 ગોળીઓ મારી હતી.
જોકે મીડિયા રિપોર્ટ મુજબ 40 વર્ષીય મહિપાલ યાદવ દોઢ વર્ષથી ન્યાયાધીશ કૃષ્ણકાંતની સુરક્ષામાં તેનાત હતો. લગભગ આઠ માસ પહેલા મહિપાલ યાદવે હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કર્યો હતો. જણાવવામાં આવે છે કે ધાર્મિક બાબતો પર જજની પત્ની સાથે મહિપાલ યાદવનો વિવાદ થતો હતો. પોલીસ કસ્ટડીમાં પણ મહિપાલ કહી રહ્યો હતો કે ધર્માંતરણને લઈને ન્યાયાધીશના પત્ની તેની હેરાનગતિ કરતા હતા.