ગુરુદાસપુરમાં ગોળીબાર થતા 4નાં મોત થયા અને 2 ઘાયલ થયા છે.
ઘટના ગુરુદાસપુરના બટાલાના બલ્લરવાલ ગામમાં બની
ગોળીબાર થતા 4નાં મોત થયા અને 2 ઘાયલ થયા
પ્રેમ વિવાહને લઈને 2 પક્ષોમાં ખટરાગ વધ્યો હતો
ગુરુદાસપુરમાં ગોળીબાર થતા 4નાં મોત થયા અને 2 ઘાયલ થયા
પંજાબન ગુરુદાસપુરમાં થયેલા ગોળીબારમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય 2 લોકો ઘાયલ થયા છે. મનાઈ રહ્યું છે કે આ ગોળીબારી અંગત દુશ્મનાવટને લીધે થઈ હતી. જેના કારણે ચાર લોકોનો જીવ ગયો હતો. ગોળીબારના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
ઘટના ગુરુદાસપુરના બટાલાના બલ્લરવાલ ગામમાં બની
ઉલ્લેખનીય છે કે આ ઘટના ગુરુદાસપુરના બટાલાના બલ્લરવાલ ગામમાં બની છે. આ બે જૂથોની અંગત અદાવતે હિંસક રુપ ધારણ કર્યુ હતુ. જોત જોતામાં ફાયરિંગ શરુ થઈ ગયુ અને ચાર લોકોની લાશ પડી હતી. આ ગોળીબારમાં જસબીર સિંહ, બબંદીપ, મંગલ અને સુખવિંદરનું મોત થયું હતુ.
4 લોકોના હત્યાનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરુ કરી
ફાયરિંગની આ ઘટનામાં વધુ 2 લોકો ઘાયલ થયા હતા જેમણે હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. આ ગોળીબારી કાંડથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. લોકોમાં ભય ફેલાયો છે. 4 લોકોના હત્યાનો ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
પ્રેમ વિવાહને લઈને 2 પક્ષોમાં ખટરાગ વધ્યો હતો
જાણકારી મુજબ પાકિસ્તાનની સીમાથી અડીને ગુરુદાસપુર જિલ્લાના બટાલામાં કથિત રીતે પ્રેમ વિવાહને લઈને 2 પક્ષોમાં ખટરાગ વધ્યો હતો. જેના કારણે આ ઘટના ઘટી હતી.