ભારતમાં અલગ અલગ જગ્યાએ નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે અને વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે.
આજથી શરૂ થઇ રહી છે ગુપ્ત નવરાત્રિ
માતા દુર્ગાની પૂજા ગુપ્ત રીતે જ કરો
10 મહાવિદ્યાની થાય છે પૂજા
ભારતમાં અલગ અલગ જગ્યાએ ચાર પ્રકારની નવરાત્રિ ઉજવવામાં આવે છે. ચેત્ર અને શરદ નવરાત્રિ વધારે પ્રખ્યાત છે તે સિવાય 2 વખત ગુપ્ત નવરાત્રિ આવે છે. જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ પ્રસિદ્ધ નથી માટે તેના વિશે ખુબ ઓછા લોકો જાણે છે.
હિન્દુ પંચાંગ અનુસાર નવરાત્રિ 12 ફેબ્રુઆરીના રોજ શરી થશે અને 21 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. આ નવરાત્રિ નવની જગ્યાએ 10 દિવસ ચાલશે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના 9 રૂપોની પૂજા થાય છે અને 10 મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે.
ગુપ્ત નવરાત્રિ પર શુભ યોગ
એવી માન્યતા છે કે ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજાને જેટલી ગુપ્ત રીતે કરવામાં આવે તેટલું જ પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે સર્વાર્થસિદ્ધિ યોગ, ત્રિપષ્કર અમૃતસિદ્ધિયોગ, અને રાજયોગ બની રહ્યાં છે. આ શુભ યોગમાં કોઇ પણ મંગળકાર્ય શરૂ કરી શકાય છે. આ સિવાય કળશ સ્થાપનાના દિવસે એટલે કે આજે શનિ, ગુરુ, સુર્ય, શુક્ર અને બુધનો પંચગ્રહી યોગ મકર રાશિમાં એક સાથે બને છે. જે આજના દિવસને વધુ શુભ બનાવે છે.
આ ભૂલો કરવાથી બચો
ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરનારા વ્યક્તિને ચામડાની કોઇ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો.
તે વ્યક્તિએ કાળા રંગના કપડા ન પહેરવા.
ગુપ્ત નવરાત્રિ દરમિયાન કોઇ પણ જીવ જંતુ કે પશુ પક્ષીને ન મારવું જોઇએ.
આ 9 દિવસમાં માંસ મદિરા કે લસણ ડુંગળીવાળુ ભોજન ખાવાથી બચવું જોઇએ. આવું કરવાથી મુશ્કેલી આવી શકે છે.
ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગુસ્સો કરવાથી બચો અને કોઇને પણ અપશબ્દો ન બોલો આવું કરવાથી ઘરમાં બરકત નથી આવતી.
નવરાત્રિ દરમિયાન કન્યા પુજનનું અધિક મહત્વ છે. ભૂલીને પણ કોઇ કન્યાનું અપમાન ન કરવું જોઇએ.
ગુપ્ત નવરાત્રિ દરમિયાન વાળ કપાવવા, દાઢી કરાવવી કે નખ કાપવાને અશુભ માનવામાં આવે છે.
સંભવ હોય ત્યાં સુધી દુર્ગામાતાની પૂજા બંધ બારણે કોઇને ખ્યાલ ન આવે તે રીતે જ કરવી જોઇએ.