આંધ્રપ્રદેશના ગુંટૂરમાં આવેલ વિવાદીત જિન્ના ટાવરને રાષ્ટ્રધ્વજના રંગમાં રંગી દેવામાં આવ્યો છે. સાથેજ આ ટાવર પર આવતીકાલે રાષ્ટ્રધ્વજ પણ ફરકાવામાં આવશે. અને આગામી 5 તારીખ સુધીમાં ટાવરનું નામ બદલીને APJ અબ્દુલ કલામ રાખવાની માગ કરવામાં આવી છે.
ટાવરનું નામ બદલીને APJ અબ્દુલ કલામ ટાવર કરવાની માગ
આંધ્રપ્રદેશના ગુંટૂરમાં આવેલ વિવાદીત જિન્ના ટાવરને હવે રાષ્ટ્રધ્વજના રંગમાં રંગી દેવામાં આવ્યો છે. સાથેજ હવે આવતીકાલે તેના પર રાષ્ટ્રધ્વજ ફરકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોકે ભાજપનું કહેવું છે કે ટાવરનું નામ બદલાવું જોઈએ કારણકે આ ટાવર પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી જિન્નાની યાદ આપે છે.
ટાવર પર રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવશે
ગુંટૂક ઈસ્ટના ધારાસભ્ય મોહમ્મદ મુસ્તફાએ કહ્યું કે વિભિન્ન સમૂહોના અનુરોઘ પર ટાવરને તિરંગાથી સજાવામાં આવ્યો છે. સાથેજ હવે તેના પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાજપ કાર્યકર્તાઓએ વિવાદ ઉભો કર્યો
શેહરના મેયર કાવેતી મનોહરે કહ્યું કે છેલ્લા અમુક સપ્તાહથી ભાજપ કાર્યકર્તા આ ટાવરને લઈને વિવાદ ઉભો કરી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે તે વિસ્તારના વૃદ્ધ મુસ્લિમો સાથે વાત કરી અને ટાવરની બાજુમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાનો નિર્ણય લેવાયો છે. જોકે ભાજપ કાર્યકર્તાઓ દ્વારા એ સ્પષ્ટ કરી દેવમાં આવ્યું છે કે માત્ર ટાવરનો રંગ બદલવાથી તેઓ શાંત નથી રહેવાના.
નામ નહી બદલાય ત્યા સુધી આંદોલન યથાવત રહેશે
આંધ્ર પ્રદેશના ભાજપ પ્રભારી સુનીલ દેવધરનું કહેવું છે કે જ્યા સુધી જિન્ના ટાવરનું નામ બદલવામાં નહી આવે ત્યા સુધી આ આંદોલન યથાવત રહેશે. સાથેજ તેમણે કહ્યું કે ટાવરને તિરંગાનો રંગ કરવામાં આવ્યો તે સારી વાત છે પરંતુ તેનું નામ બદલવું પણ જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે જિન્ના અને ઔરંગઝેબમાં કોઈ અંતર નથી જે રીતે ઔરંગઝેબ રોડનું નામ બદલવામાં આવ્યું તે રીતે જિન્ના ટાવરનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ ટાવર હોવું જોઈએ.
ટાવરનું નામ બદલી APJ અબ્દુલ કલામ રાખવાની માગ
ઉલ્લેખનીય છે કે જો 5 ફેબ્રુઆરી સુધીમાં ટાવરનું નામ બદલવામાં નહી તો ભાજપે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગત 26 જાન્યુઆરીએ અમુક લોકો જિન્ના ટાવર પર તિરંગો લહેરાવા ગયા હતા. જેમની ધરપકડ કરવામાં આવી હતી. હવે આ ટાવરનું નામ બદલીને APJ અબ્દુલ કલામ ટાવર રાખવાની વાત કરવામાં આવી છે.