SP રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી થયા હાજર
તાલુકા પોલીસે નોટિસ પાઠવી જવાબ આપવા બોલાવ્યા હતા
સોખડા હરિધામ મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસનો મામલો ગરમાયો છે. હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ કડીમાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી હાજર થયા હતા.
SP રોહન આનંદ સમક્ષ મંદિરના બે સંતો, સેક્રેટરી થયા હાજર
તાલુકા પોલીસે નોટિસ પાઠવી જવાબ આપવા પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. SP રોહન આનંદે ખુદ ત્યાગવલ્લભ સ્વામી, પ્રભુપ્રિય સ્વામી અને સેક્રેટરી જયંત દવેના નિવેદન લીધા છે. SPએ સંતોને પૂછ્યું હતું કે, આત્મહત્યાની જાણ કેમ પોલીસને ન કરી? આત્મહત્યાની કયા કારણોસર પોલીસને જાણ કરવામાં આવેલ નથી?
સંતો અને સેક્રેટરીએ આપ્યો લૂલો જવાબ
આમ પોલીસે કરેલા આ સવાલનો સંતો અને સેક્રેટરીએ લૂલો જવાબ આપ્યો હતો, ગુણાતીત સ્વામીના પરિજનોએ આત્મહત્યા જાહેર ન કરવા વિનંતી કરતાં પોલીસને જાણ ન કરી. તેમજ તેઓ જણાવ્યું હતું કે, ગુણાતીત સ્વામી ઘણા સમયથી બીમાર અને ડિપ્રેશનમાં પણ હોવાની માહિતી પોલીસને આપી.જિલ્લા પોલીસ વડાએ નિવેદન નોંધી આગળની વધુ તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર કરજણ સર્કલને સોંપી છે. અને તાલુકા પોલીસ સ્ટશેનના PSI પાસેથી તપાસ પરત લેવાઇ.
પ્રેમ સ્વરૂપ સ્વામીના વકીલ સુધીર નાણાવટી પહોંચ્યા હરિધામ મંદિર
સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામી અપમૃત્યુ મામલે હાલ તપાસ ચાલી રહી છે. ત્યારે પ્રેમ સ્વરૂપ સ્વામીના હાઇકોર્ટના સિનિયર વકીલ સુધીર નાણાવટી હરિધામ મંદિર પહોંચ્યા છે. હાઇકોર્ટના આદેશ બાદ મધ્યસ્થી માટે પહોંચ્યા છે. સોખડા મંદિરના સંતો અને ભક્તો સાથે બેઠક કરશે અને સમજાવશે. વકીલે હાઇકોર્ટ પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો.
સ્વામીને ન્યાય આપો લખી ફોટો વાયરલ
તો બીજી તરફ સોશિયલ મીડિયામાં સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુના મામલે ન્યાય આપોના ફોટા ફરતાં થયા છે. ગુણાતીત સ્વામીની હત્યા? સવાલ સાથે ફોટો થયો વાયરલ
હરિધામમાં હવે પછી કોનો વારો? એવો સવાલ સાથે પણ ફોટો વાયરલ