મધ્ય પ્રદેશના ગુનામાં દલિત ખેડૂતો સાથેની મારપીટ બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તક્ષેપ બાદ અધિકારીઓએ કાર્યવાહી કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયા પીડિત ખેડૂતના પરિવારને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયાએ હોસ્પિટલ જઇને પીડિત ખેડૂત અને તેની પત્ની સાથે મુલાકાત કરી છે.
આ દરમિયાન મહેન્દ્રસિંહ સિસોદિયની પાસે રાજ્યસભા સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ફોન પણ આવ્યો. સિંધિયાએ ફોન પર ખેડૂતના પત્ની સાથે વાત કરી. આ સાથે કહ્યું કે પોલીસની કાર્યવાહી પછી તરત અમે તરત મુખ્યમંત્રી સાથે વાતચીત કરી. ત્યારબાદ બધા અધિકારીઓને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા છે.
गुना के जगनपुर पर घटित दुर्भाग्यपूर्ण घटना में पीड़ित श्री राजकुमार अहिरवार का स्वास्थ देखने अस्पताल पहुंचकर हालचाल जानकर इस पूरी घटना से सर्वाधिक चिंतित व व्यथित राज्यसभा सांसद श्रीमंत @JM_Scindia से फ़ोन पर चर्चा करवाई और आश्वस्त किया उन्हें पूरा न्याय मिलेगा।@ChouhanShivrajpic.twitter.com/saHYJHdmVx
ખેડૂતની પત્નીએ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ઉલ્ટું મારી ઉપર જ FIR કરવામાં આવી છે. જેના પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે નહીં થાય. તમે ચિંતા નકરો, હું છું. પીડિતાએ તેના પર કહ્યું કે અમારા નાના-નાના બાળકો છે. કેટલીક જમીનની વ્યવસ્થા કરાવી આપો. જેના પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે હું પ્રયત્ન કરુ છું.