guna magisterial inquiry has been ordered in connection with the alleged poisoning of a peasant couple during the process of removing the encroachment by the police in guna nodsr
ગુના જિલ્લામાં સ્થિત કેન્ટ વિસ્તારમાં જગનપુર ચક્રમાં મંગળવારે મહેસૂલ વિભાગ અને પોલીસની ટીમ જમીન દ્વારા કરવામાં આવેલા આક્રમક વર્તને કારણે ખેડૂત દંપતીએ ઝેપ પીધુ હતું. મધ્ય પ્રદેશ સરકારે આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા હતા. જ્યારે કે તપાસ અધિકારીને 30 દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં વીડિયો વાયરલ થયા બાદ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે ગુનાના કલેક્ટર અને એસપીને તાત્કાલીક હટાવવાના આદેશ અપાયા છે.
મધ્ય પ્રદેશ સરકારે આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા
તપાસ અધિકારીને 30 દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપવામાં આવ્યા
સીએમે ગુનાના કલેક્ટર અને એસપીને તાત્કાલીક હટાવવાના આદેશ અપાયા
કોંગ્રેસે કર્યો હુમલો
કોંગ્રેસે પેટા ચૂંટણી પહેલા ખેડૂતો પર લાઠી ચાર્જ કરનારા શિવરાજની સરકાર પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસે ચારે તરફથી સરકારને ઘેરી છે. કોંગ્રેસે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા ગરીબો અને ખેડૂતોની લડાઈમાં તેની સાથે રહી છે. શિવરાજ સરકારનુ આ અમાનવીય કૃત્યને ભાજપની તાનાશાહીને ખુલ્લી પાડી છે. આ લડાઈ શિવરાજ સરકારના અંતનો આરંભ છે. રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહ દ્વારા પણ સરકાર પર આ અંગે નિશાન સાધવામાં આવ્યું હતુ.
म.प्र.: गुना में पुलिस द्वारा मारपीट कर अतिक्रमण हटाने की प्रक्रिया के दौरान एक किसान दंपति के कथित तौर से ज़हर खाने के मामले में मजिस्ट्रियल जांच के आदेश दिए गए हैं। जांच रिपोर्ट 30 दिनों के भीतर सौंपी जाएगी। https://t.co/Ciwz8T8Gtk
ગુના જિલ્લામાં સ્થિત કેન્ટ વિસ્તારમાં જગનપુર ચક્રમાં મંગળવારે મહેસૂલ વિભાગ અને પોલીસની ટીમ જમીન પર થયેલું દબાણ હટાવવા ગયા હતા. આ જમીનને ખેડૂત રાજકુમાર ભાગીદારીમાં લીધી હતી. આ જમીન પૂર્વથી સાયન્સ કોલેજને ફાળવવામાં આવી હતી અને પોલીસ પહેલા પણ આ જગ્યાને ખાલી કરાવી ચૂકી છે. મંગળવારે કાર્યવાહી દરમિયાન દંપતીએ કહ્યું કે પાક લણી લીધા પછી ખાલી કરી દઈશું ત્યાં સુધી રોકાઈ જાવ પણ પોલીસ માનવા તૈયાર નહોતી. અંતે દંપતીએ ઝેર પીધુ હતું. આ પહેલા પોલીસે તેમને માર મારી અધમૂઆ કરી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
દંપતીના સંતાને આ અંગે કહ્યું હતું કે ગલભગ 150 જેટલા લોકો આવ્યા હતા. જેને મારા માતા પિતાએ વિનંતી કરી હતી કે પાક લણી લેવા દો પણ એ ન માન્યા. એ બાદ મારા માતા પિતા એ ઝેર ખાઈ લીધું તો એ લોકોએ કહ્યુ મરાવા દો આ લોકોને.
આ વીડિયો વાયરલ થયા બાદ સરકારે અધિકારીઓની બઠક બોલાવી અને એક્શન લેવા માટે કહ્યું હતું ગૃહમંત્રી નરોત્તમે પણ આ કેસને ગંભીરતાથી લઈ તપાસના આદેશ આપ્યા હતા.
ઉલ્લેખનીય છે તે આ ઘટનાનો વીડિયો વાયરસ થયો હતો વાયરસ વીડિયોમાં મહિલા પોલીસકર્મી ખેડૂત પરિવારને લાત મારે છે. એક જવાને મહિલા અને ખેડૂતને પકડી રાખ્યા છે અને મહિલા પોલીસકર્મી તેને લાત મારી રહી છે. ખેડૂત દંપતી 7 બાળકો સાથે અહીં રહેતા હતા. બીજી તરફ મહિના કપડા ફાડી નાંખ્યા. ત્યારે કોંગ્રેસે શિવરાજની સરકાર પર નિશાન સાધ્યું છે. માતા પિતા જમીન પર પડેલા હતા બાળકો માતા- પિતાના ઉઠાડી રહ્યા હતા પણ પોલીસનું દિલ પથ્થર હતુ.
રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ખુબ દુઃખદ ઘટના છે તેમણે કહ્યું હતું કે મે સીએમને આવા અધિકારીઓ સામે પગલા લેવા કહ્યુ છે. આ નિવેદનના 1 કલાકમાં જ તેમણે કહ્યુ હતું કે સીએમે પગલા ભર્યા છે. ગુનાના કલેક્ટર અને એસપીને તાત્કાલીક હટાવવાના આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે સિંધિયા ગુના શિવપુરીમાંથી જ લોકસભાની ચૂંટણી લડ્યા છે.