બોલિવૂડ / ગુલઝાર સાહેબના માયા, મોહિન અને સુધા 33 વર્ષના થયા, એક નજર 1987 પર...

Gulzaar's ijazat turns 33

સાવન કે કુછ ભીગે ભીગે દીન રખે હે, ઔર મેરે ઇક ખત મેં લિપટી રાત પડી હે, વો રાત બૂઝા દો મેરા વો સામાન લોટા દો...!! જ્યારે કોઇનુ હ્રદયભંગ થાય, ત્યારે કેટલા પ્રશ્નો, કેટલી યાદો અને કેટલી નફરત રહી જતી હોય છે નહી? કેટલા બધા સવાલ હોય છે જેના જવાબ નથી હોતા અને કેટલાક સવાલોના જવાબ આપવા નથી હોતા.. ક્યારેય એવુ સાંભળ્યુ કે જોયુ છે કે હ્રદયભંગ થયા બાદ કોઇ જ ખટપટ ન હોય માત્ર કેટલીક વાતોનો પસ્તાવો અને હકીકતને સ્વિકારવાનો ભાર હોય? ગુલઝારની ફિલ્મ ઇજાઝત એક આવી જ કથા છે જેમાં હકીકત સ્વિકારવાનો ભાર એટલો તો વધી જાય છે કે ત્રણ પાત્રો એકબીજાની પાસે, એકબીજાની સાથે હોવા છતાં જોજનો દૂર જતા રહે છે. ગુલઝારની ક્લાસિક ફિલ્મ ઇજાઝતને 8 જૂલાઇએ 33 વર્ષ પૂર્ણ થયા પરંતુ આજે પણ આ ફિલ્મ જોઇને એ જ તાજગી અને વાર્તાની ભીનાશ અનુભવાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ