મુંબઈ હાઈકોર્ટે ગુરુવારે પ્રખ્યાત સંગીતકાર ગુલશન કુમારની હત્યામાં અબ્દુલ રશીદ દાઉદ વેપારીને દોષી ઠેરવ્યો છે અને તેની આજીવન સજાને યથાવત રાખી છે. સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકાર વતી રમેશ તુરાનીના પડકારને ફગાવી દીધો છે. રમેશ તુરાણીને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. લગભગ 24 વર્ષ પછી, કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે, જેની દરેક વ્યક્તિ લાંબા સમયથી રાહ જોઇ રહી હતા. જસ્ટિસ જાધવ અને બોરકરની ખંડપીઠે ગુલશન કુમાર મર્ડર કેસનો ચુકાદો આપ્યો હતો.
અબ્દુલ રશીદ દાઉદની આજીન કેદની સજા યથવાત
એક અહેવાલ અનુસાર, આરોપી અબ્દુલ રશીદ દાઉદ વેપારી IPCની કલમ 302, 307 અને 34 હેઠળ દોષી સાબિત થયો છે. તેથી મુંબઈ હાઈકોર્ટે તેને આજીન કેદની સજા યથવાત રાખી છે.
અબ્દુલ રશીદ પેરોલ પર છૂટી ગયા બાદ ફરાર થઈ ગયો હતો
આ કેસની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, અબ્દુલ રશીદ દાઉદ કોઈ પણ પ્રકારની છૂટનો હકદાર નથી કારણ કે તે પેહલા પણ પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો. એપ્રિલ 2002માં, તેને આજીવન કેદની સજા ફટકારી હતી. 2009માં, તેને બીમાર માતાને મળવા માટે પેરોલ આપવામાં આવી હતી. પેરોલ મળ્યા બાદ તે બાંગ્લાદેશ ભાગી ગયો હતો, જોકે ત્યારબાદ બાંગ્લાદેશ પોલીસે તેની ડુપ્લીકેટ પાસપોર્ટ કેસમાં ધરપકડ કરી હતી. બાંગ્લાદેશમાં ધરપકડ થયા બાદ વેપારીને પહેલા ગાજીપુરની કાશીમપુર જેલમાં રાખવામાં આવ્યો હતો.
ગુલશન કુમારની હત્યાથી સમગ્ર બોલીવૂડમાં છવાયો હતો સન્નાટો
પ્રખ્યાત સંગીતકાર ગુલશન કુમારની 12 ઓગસ્ટ, 1997માં જુહુ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમાર જ્યારે ભગવાનના દર્શન કરવા મંદિર પહોંચ્યા ત્યારે મંદિરની બહાર જ 16 ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા.