બેંક ખાતામાંથી છેતરપિંડીથી પૈસા ઉપડી જવા મામલે બેંક જવાબદાર નહીં રહે. આવી ભૂલ ગ્રાહકની બેદરકારીના કારણે પણ થઈ શકે છે. અમરેલીની એક ગ્રાહક અદાલતે આ આદેશ જાહેર કર્યો છે.
ખાતામાંથી પૈસા ઉપડે તો બેંક દોષી નહીં
અમરેલીના એક ગ્રાહક સાથે 41 હજાર 500ની ઠગાઈ થઈ હતી
ગ્રાહકની બેદરકારીના કારણે ઠગાઈ થઈ હતી માટે બેંક જવાબદાર નહીંઃ કોર્ટ
ગ્રાહકની બેદરકારીથી થઈ ઠગાઈ તેના નુકસાનની ભરપાઈ માટે બેંક જવાબદાર નહીં રહે. અમરેલીમાં ગ્રાહક વિવાદ નિવારણ આયોગે ફ્રોડના એક પીડિતને વળતર આપવાનો ઇન્કાર કર્યો છે. ગ્રાહકના ખાતામાંથી 41 હજાર 500 રૂપિયા ઉપડી ગયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્ટનું માનવું છે કે ફ્રોડ વ્યક્તિની પોતાની બેદરકારીના કારણે થઇ છે. એટલા માટે કોઇ જવાબદારી બનતી નથી.
અમરેલીના કુર્જી જાવિયાને ઠગબાજોએ ફોન કર્યો હતો. અને ATM કાર્ડની ડિટેઈલ માગી હતી. ગ્રાહકે બેંકમાંથી ફોન હોવાનું સમર્જીને બેંક ડિટેઈલ આપી. બીજા દિવસે જ્યારે પેન્શનની રકમ ખાતામાં આવી તો બારોબાર ઉપડી ગયા. જેથી ગ્રાહકે બેંક વિરુદ્ધ ફરિયાદ કરી હતી.
જોકે કોર્ટે જણાવ્યું કે બેંક ગ્રાહકોને TMC કાર્ડ ડિટેઈલ કે ખાતાની ડિટેઈલ ન આપવા માટે ચેતવણી હોય છે. જોકે ગ્રાહકની બેદરકારીના કારણે આ ઠગાઈ થઈ હતી જેથી વળતર ચૂકવવા માટે બેંક જવાબદાર નથી.