અનામત મામલે રાજસ્થાન સરકારની ચર્ચા માટે કોઈ પ્રસ્તાવ ન મળતાં નારાજ ગુર્જરોએ રેલવે ટ્રેક પર બેસવાનો નિર્ણય લીધો છે. જેના પગલે ગુજરાતના ટ્રેન વ્યવહારને મોટી અસર થઈ છે. ગુર્જર સમાજ રાજ્ય સરકાર પાસે પાંચ ટકા અનામતની માગ કરી રહ્યા છે.
ગુર્જર સમાજ રાજ્ય સરકાર પાસે 5 ટકા આરક્ષણની માગણી કરી રહ્યો છે..કર્નલ કિરોડી સિંહ બૈંસલાના નેતૃત્વમાં કોટા પાસે આ આંદોલન ચાલી રહ્યું છે.. ત્યારે ગુજરાતના ટ્રેન વ્યવહારને ભારે અસર થઈ છે. આ આંદોલનના પગલે ગુજરાતથી જતી કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે.
ત્યારે મુંબઈ સેન્ટ્રલ નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ મુંબઈ સેનટ્રલ ફીરોઝપુર જનતા એક્સપ્રેસ દહેરાદૂન બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ-નિઝામુદ્દીન ગરીબ રથ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ-લખનઉ એક્સપ્રેસ ઈન્દોર ન્યૂ દિલ્લી એક્સપ્રેસ મંદસૌર કોટા એક્સપ્રેસ નિઝામુદ્દીન અમદાવાદ ટ્રેન અને નિઝામુદ્દીન ઉદયપુર ટ્રેન રદ કરવામાં આવી છે.
તો ગુજરાત પર સૌથી વધુ અસર ટ્રેન વ્યવહારને થઈ છે. અનેક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુર્જરોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે પહેલા પણ તેમની વાત સાંભળી હતી અને અત્યારે પણ સાંભળશે..સરકાર સમાધાન માટે ગંભીર છે અને રાજ્ય સરકારના સ્તરે ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા છે.