સુરત પોલીસે શહેરની માથાભારે ગેંગ સામે લાલા આંખ કરી રહી છે તેવામાં વધુ એક કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
સુરતમાં કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો
મોહમદ અશરફ મોહમદ ઇસ્માઇલ નાગોરી 12 ગુના આચર્યા
આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા GUJCTOC(ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ) મુજબ સુરતમાં કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લાલગેટ પોલીસે અશરફ નાગોરીના ત્રણ સાગરીતની ધરપકડ લાલાગેટ પોલીસ દ્વારા કરવામાં આવી. સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વિગતવાર વાર વાત કરીએ તો સુરતના લાલગેટ, ચોકબજાર વિસ્તારમાં ફાયરીંગ, ખંડણી, ગેરકાયદેસર હથિયારોના ગુનામાં ઝડપાયેલા તેમજ અંડરવર્લ્ડ સાથે કથિત કનેક્શન ધરાવતા કુખ્યાત અશરફ નાગોરી અને ગેંગ વિરુદ્ધ લાલગેટ પોલીસે આતંકવાદી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઈઝ ક્રાઇમને અંકુશમાં લેવા ગુજરાત સરકારે એક વર્ષ અગાઉ ઘડેલા કાયદા GUJCTOC(ઘી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ ) મુજબ આજે ગુનો નોંધ્યો છે.
આરોપીના નામ..
મોહમદ અશરફ મોહમદ ઇસ્માઇલ નાગોરી
મોહમદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અસારી
મોહમદ આરીફ ઇસ્માઇલ નાગોરી
વસીમ મુસ્તફ કુરેશી
અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદિન શેખ
પોલીસે રામપુરા પસ્તાગીયા શેરીમાં રહેતા મો.અશરફ ઈસ્માઈલ નાગોરી અને તેના 12 સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી ત્રણ સાગરીતની પણ અટકાયત કરી છે. જ્યારે ગેંગનો મુખ્ય સૂત્રધાર માથાભારે અશરફ નાગોરી હાલ તડીપાર છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે આસીફ ટામેટા ગેંગ અને લાલુ જાલીમ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આરોપીનો કેટલા ગુના આચર્યા ઇતિહાસ
મોહમદ અશરફ મોહમદ ઇસ્માઇલ નાગોરી 12 ગુના આચર્યા
મોહમદ ફિરોઝ ઉર્ફે ગઝની મોહમદ ફરીદ અસારી 2 ગુના
મોહમદ આરીફ ઇસ્માઇલ નાગોરી 2 ગુના
વસીમ મુસ્તફ કુરેશી 2 ગુના
અબ્દુલ સમદ ઉર્ફે મલબારી ગુલામ મોયુદિન શેખ 5 ગુના
આ ગેંગની ઇતિહાસની વાત કરીએ તો....
સુરતના રામપુરા વિસ્તારમાં બરાબર એક વર્ષ અગાઉ 11 જાન્યુઆરીની મોડીરાત્રે મેલી વિદ્યાની આશંકામાં સામસામા ફાયરીંગની ઘટના બની હતી. માથાભારે અશરફ નાગોરીએ મેલી વિદ્યા કરી છે તેવી આશંકાને પગલે મહેતાબ ભૈયા સાથે તેનો ઝઘડો થયો હતો. તેની જાણ મહેતાબના ભાઈ હાસીમને થતા તે અશરફ પાસે પહોંચ્યો હતો. ત્યારે ઝઘડો થતા અશરફે હાસીમ ઉપર ફાયરિંગ કર્યું હતું અને તે સમયે તેને બચાવવા મહેતાબ આગળ આવી જતા તેને ડાબા પગમાં કુલાની નીચેના ભાગે ગોળી વાગી હતી. આથી તેણે પોતાની પાસેની પિસ્તોલથી અશરફ ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને લીધે લોકો એકત્ર થઇ જતા તેઓ ત્યાંથી ભાગ્યા હતા.
- જ્યારે હરેન પંડયા હત્યા કેસમાં ઝડપાયેલો અશરફ નાગોરી વર્ષ 2013માં પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્ય પ્રદેશથી લાવેલા હથિયારો સાથે ઝડપાયો હતો.
- ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની હત્યા માટે હથિયાર પુરા પાડનાર અશરફ નાગોરી વર્ષ 2013માં વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડીયાની હત્યા માટે મધ્યપ્રદેશથી લાવેલા 11 પિસ્તોલ અને 62 કારતુઝ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો.
- વર્ષ 2002માં સુરત ભાજપના કોર્પોરેટર અને વકીલ હસમુખ લાલવાલા ઉપર પણ ફાયરિંગની ઘટનામાં તે ઝડપાયો હતો.
- વર્ષ 2003માં અમદાવાદ પોલીસે પોટા હેઠળ અને વર્ષ 2013 અને 2015 માં સુરત પોલીસે પાસા હેઠળ તેની ધરપકડ કરી હતી.
- જ્યારે નવેમ્બર 2020માં જ તેને તડીપાર કરાયો હતો.