ગુજસીટોક એક્ટના ગુના હેઠળ ભૂમાફિયા જયેશ પટેલના સાગરિત મનાતા યશપાલસિંહ જાડેજાએ જામનગર પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. આરોપી જશપાલસિંહ જાડેજાનો જેલમાંથી જામનગર પોલીસે કબજો લીધો છે.
જામનગરમાં ગુજસીટોકનો આરોપી યશપાલસિંહ સરેન્ડર
ભૂમાફિયાઓ સામે લગાવેલા ગુજસીટોકના ગુનામાં સરેન્ડર થયો
યશપાલ સિંહ જાડેજા છે જયેશ પટેલનો સાગરિત
જામનગરમાં ભૂમાફિયાઓ સામે લગાવેલા ગુજસીટોકના ગુનામાં આરોપી યશપાલસિંહ સરેન્ડર થયો છે. યશપાલ સિંહ જાડેજા છે જયેશ પટેલનો સાગરીત છે. યશપાલસિંહના ભાઈ જશપાલસિંહનો જેલમાંથી કબ્જો લેવાયો છે. બંને બંધુઓ કુખ્યાત જયેશ પટેલના સાગરીતો છે. આવતીકાલે રાજકોટ કોર્ટમાં બંનેને રજૂ કરવામાં આવશે. અન્ય 5 આરોપીઓના આવતીકાલે રિમાન્ડ પૂર્ણ થશે. રિમાન્ડ પૂર્ણ થતા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.
મહત્વનું છે કે, જામનગરના નવ નિયુક્ત એસપી દિપેન ભદ્ર એક્શનમાં છે. જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેમના સાગરિતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ATSએ જયેશ પટેલ ગેંગના 13 સાગરિતો સામે કાર્યવાહી હાથ ધરતા આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે ગુજરાત રાજ્યમાં ગુજસીટોક એકટ હેઠળ આ પાંચમી ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, આ ગુજસીટોક કાયદામાં 10 વર્ષથી જનમટીપની જોગવાઇ છે.