ગોંડલમાં નિખિલ દોંગાના સમર્થનમાં સંમેલનમાં GUJCTOC કાયદાનું હથિયાર ખાસ કોમના લોકો સામે જ ઉગામાય છે તેમ જણાવી ભાજપ નેતા વરૂણ પટેલે સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે.
ભાજપ નેતા વરૂણ પટેલનો સરકાર પડકાર
ગુજસીટોક કાયદાના થાય છે દુર ઉપયોગ: વરૂણ
ચોક્કસ કોમના લોકો વિરૂદ્ધ જ ગુજસીટોકનો ગૂનો: વરૂણ
ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સેવાનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાહેર જીવનમાં સેવાકીય કાર્ય કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુમાં ગોંડલમાં નિખિલ દોંગાના સમર્થનમાં સંમેલન યોજાયું હતુ. જેમાં ભાજપ પ્રવક્તા વરૂણ પટેલે સરકાર સામે મોર્ચો માંડીને જણાવ્યું હતું કે GUJCTOC કાયદાનો દૂરુપયોગ થઇ રહ્યો છે. વરૂણ પટેલે ઉમેર્યું હતું કે હું ગોંડલમાં 150 અને જામનગરમાં 150 લોકોને ઓળખું છું જેના પર ગુજસીટોક થવો જોઈએ પણ થયો નથી.
ભાજપ પ્રવક્તા વરૂણ પટેલનો સરકાર સામે મોર્ચો
ગુજસીટોક કાયદાના દુર ઉપયોગ થતો હોવાનો ભાજપ પ્રવક્તા વરૂણ પટેલે દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું કે કોઈ ચોક્કસ કોમના યુવાનો વિરૂદ્ધ જ ગુજસીટોકનું હથિયાર ઉગામમાં આવી રહ્યું છે. એટલું જ નહિ જો નિર્ણય પાછો નહીં ખેચાય તો પાર્ટી સામે પણ પડવાની વરૂણ પટેલે તૈયારી દર્શાવી હતી. આગામી સમયમાં યુદ્ધ એજ કલ્યાણ દ્વારા જે પણ કાર્યક્રમો યોજવામાં આવશે તેમાં પુરતો સહકાર આપવાની ખાતરી આપી હતી. નિખિલ દોંગા પર ગુજસીટોકનો ગંભીર ગુનો લાગ્યો છે. જ્યારે જામનગરમાં પણ પાસના અતુલ ભંડેરી પર ગુજસીટોક લાગ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે હવે ગોંડલમાં ભાજપના જ આગેવાન વરૂણ પટેલે પાર્ટી સામે જ ચડાવતા ચર્ચાનો મુદ્દો બન્યો છે.
શું છે GUJCTOC કાયદો?
GUJCTOC ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-૨૦૧૫ ખૂન, ખંડણી,જમીન પચાવી પાડવી,સોપારી આપવી, આર્થિક ગુના, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક નિયંત્રણ ધારાભંગ, લૂંટ, ચોરી, છેડતી, મોટા સાયબર ગુના અને મોટા પાયે જુગાર, માનવ તસ્કરી કૌભાંડ સહિતની પવુતિઑમાં લાગે છે.