હાલ જાડેજા બંધુઓ જામનગર જિલ્લા જેલમાં કેદ જ્યારે મુખ્ય સુત્રધાર જયેશ પટેલ લંડનની જેલમાં બંધ છે
જામનગરનો ચકચારી ગુજસીટોક પ્રકરણ મામલો
આરોપી જાડેજા બંધુઓ સામે કાર્યવાહી
2730 ફૂટ ક્ષેત્રફળવાળા બે પ્લોટ સીલ
જામનગરનો ચકચારી ગુજસીટોક પ્રકરણ મામલે તંત્ર એક્શન મોડ અપનાવી રહ્યું છે. આરોપી યશપાલ, જશપાલસિંહ જાડેજા બંધુઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બંને ઈસમોની શહેરના જયંત સોસાયટી વિસ્તારમાં આવેલ મિલકત સિલ કરી દેવામાં આવી છે. હાલ જાડેજા બંધુઓ જામનગર જિલ્લા જેલમાં કેદ છે. ગુજસીટોકના કાયદા મુજબ તેમના પર કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે 2730 ફૂટ ક્ષેત્રફળવાળા બે પ્લોટ સીલ કરી દેવામાં આવ્યા છે.
યશપાલ, જશપાલસિંહ જાડેજા બંધુઓ પર શું છે આરોપ
જયેશ પટેલના મસલમેન તરીકે કામ કરતા જાડેજા બંધુઓ યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, નાણાકીય લેવડદેવડ અને આંગડીયાની સવલત કરી આપતા તથા વિદેશમાં નાણાં પહોચાડવાની વ્યવસ્થા કરી આપતા હતા
મુખ્ય સુત્રધાર જયેશ પટેલ લંડનની જેલમાં કેદ
મુખ્ય સુત્રધાર જયેશ પટેલ હાલ લંડનની જેલની હવા ખાઈ રહ્યો છે. દોઢ વર્ષ પૂર્વે સરકારે જમીન માફિયા જયેશ પટેલને રોકવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપના પૂર્વ કોર્પોરેટર, પૂર્વ પોલીસકર્મી સહિત 16 શખ્સો સામે ગુજસીકોટની ફરિયાદ નોંધવામાં આવી હતી.
મુખ્ય સુત્રધાર જયેશ સામે 42 ગુના દાખલ
મહત્વનું છે કે જયેશ પટેલ વિરુદ્ધ જમીન પચાવી પાડવી હત્યા ખંડણી બોગસ દસ્તાવેજો સહિત 42 ગુના દાખલ કરવામાં આવ્યા છે. જયેશ પટેલ વિરુદ્ધ ગુજસીટોકનો કાયદો પણ લગાવાયો છે. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા કેસમાં પણ સંડોવણી છે. જયેશ પટેલ હાલ લંડનની જેલમાં બંધ છે.
જયેશ પટેલ અને તેના સાગરીતો સામે એક્શન
જયેશ પટેલના સાગરીત અતુલ ભંડેરી, વશ્રામ મિયાત્રા, નિલેષ ટોલિયા, મુકેશ અભંગી, પ્રવીણ ચોવટીયા, જીમ્મી આડતીયા, અનિલ પરમાર, પ્રફુલ્લ પોપટ, યશપાલસિંહ જાડેજા, જશપાલસિંહ જાડેજા, અનિલ ડાંગરિયા, તેમજ વકીલ વી એલ માનસતા હાલ જેલ હવાલે છે.